મહિલા પોલીસ સ્ટેશન દ્વારા, ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમનું આયોજન કરાયું.
ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમનું આયોજન કરાયું.
મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમનું આયોજન કરાયું.


મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમનું આયોજન કરાયું.


પોરબંદર, 30 મે (હિ.સ.) પોરબંદરના મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ અને મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી. પોરબંદર શહેરની સુચના મુજબ ગત તા. 28 મેના રોજ મહિલા પોલીસ મથકના પી.આઈ. આર.એમ. રાઠોડ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન પોરબંદર ખાતે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મહિલાઓમાં જાગૃતિકરણ લાવવા કાર્યક્રમ દરમ્યાન લોકોને કઈ કઈ રીતે ટ્રાફિક નિયમન અંગે તેમજ નશીલા પદાર્થો તેમજ તમાકુના વ્યસનથી થતા નુકશાન અને ફાયદા વિશે તેમજ ત્રણ નવા કાયદા વિશે સમજાવ્યા તથા લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા અને ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંગેના કોઈ પ્રશ્નો હોયતો પુછતા કોઈ પ્રશ્ન ન હોય અને પોલીસ તરફથી હાજર મહિલાઓની વિશેષમાં મહિલાઓને ઘરેલુ હિંસા, છેડતી, તેમજ પોકસો એક્ટ-2012 ના કાયદા અને તા.01/07/2024 થી અમલમાં આવેલ નવા ત્રણ કાયદાઓ જેમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023, ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS)-2023 તથા ભારતીય સાક્ષ્ય અધિનિયમ(BSA)-2023 વિશે માહિતગાર કર્યા અને આ કાયદામાં ખાસ કરીને મહિલાઓ અને બાળકો સબંધીત મુખ્ય જોગવાઈઓ વિશે થયેલ સુધારાઓની વિગતવારની જાણકારી આપવામાં આવી હતી.

તેમજ આ કાયદા માટે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPR&D)/MHA GIRI NCRB ની વેબસાઈટ પર NCRB Sanklan of New Criminal Laws ની ઉપલ્બધ કરાયેલ એપ્લિકેશન વિશે જાણકારી આપી માહિતગાર કર્યાં અને તમામ નાગરીકોને આ એપ્લીકેશનનો મહતમ ઉપયોગ કરવા આગ્રહભરી વિનંતિ કરવામાં આવેલ. આ ઉપરાંત ડ્રગ્સ, દારૂ તમાકુ જેવા નશીલા પદાર્થોના સેવનથી ઘરમાં થતી આર્થિક અને શારિરીક નુકશાની વિશે માહિતગાર કરવામાં આવ્યા અને આવા વ્યસનથી દુર રહેવા તેમજ આવી કોઈ પ્રવ્રુતિ જણાય તો પોલીસને જાણ કરવા સમજ કરવામાં આવી તેમજ ટ્રાફિક અવરનેશ રાખવા માટે ટ્રાફિક નિયમન માર્ગ સુરક્ષા માટેના સોનેરી નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવેલ જેમાં 18 વર્ષથી નાની વયના બાળકોને લાઈસન્સ વગર વાહન ચલાવવા ન આપવા અને વાહન ચાલકે ડ્રાઈવિંગ લાઈસન્સ વગર વાહન ન ચલાવવા અને ટુ-વ્હીલ/ફેરવ્હિલ વાહન ચલાવતી વખતે હેલ્મેટ/શીટબેલ્ટ નો અવશ્ય ઉપયોગ કરવા તેમજ રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ નહિ કરવા અને વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા, નશો કરીને વાહન ન ચલાવવા અને વાહન ચલાવતી વખતે વાહનના આર.ટી.ઓ. લગત દસ્તાવેજો સાથે રાખવા અને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને ગુડસમરીટન યોજના હવેથી રાહવીર યોજના તરીકે અમલમાં હોય અને જો કોઈ અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિને નજીકના સમયમાં પ્રાથમિક સુવિધા આપેતો તેઓને રોકડ ઈનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવે છે તે અંગે પણ માહિતગાર કર્યા અને જો કોઈ લોકોને પોલીસ મદદની જરૂરીયાત જણાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા તેમજ મહિલાઓને થતી હેરાનગતિ સમયે તુરંત જ મહિલા હેલ્પલાઈન નં-181 ની મદદ મેળવવા તેમજ મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા મહિલાઓને સમજ કરવામાં આવી તેમજ ઈમરજન્સી હેલ્પલાઈન નં 100, 112 નો પણ સંપર્ક કરી મદદ મેળવી શકાય છે તે અંગે પણ જાણકારી આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande