પોરબંદર, 31 મે (હિ.સ.) સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણને ઘણું નુકસાન પહોંચાડે તેથી લોકોમાં જનજાગૃતિ લાવીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને પર્યાવરણનું સંરક્ષણ થાય તે માટે આગામી ૫ જુન એટલે વિશ્વ પર્યાવરણ દિવસસુધી પોરબંદર વહીવટીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે.જે અંતગર્ત મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, પોરબંદર દ્વારા અસ્માવતી ઘાટ પોરબંદર ખાતે ત્રણ કિલો પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવામાં આવ્યો હતો અસ્માવતી ઘાટ ખાતે માછીમારોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પ્રદૂષણ રોકવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને માછીમારો દ્વારા પ્લાસ્ટિકનો કચરો ભેગો કરવામાં આવ્યો. જેમાં આશરે 25 જેટલા માછીમારોએ ભાગ લીધો હતો અને ત્રણ કિલો પ્લાસ્ટિકનો કચરો ભેગો કરવામાં આવ્યો હતો.અને માછીમારોએ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે સહમતી દર્શાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya