પાટણ, 31 મે (હિ.સ.)ભારત સરકાર દ્વારા પાટણના પૂર્વ ભાજપ મહામંત્રી કે.સી. પટેલની, હુડકો બોર્ડમાં સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકના અવસરે પાટણ શહેરના લેમોનેટ પાર્ટી પ્લોટ ખાતે રવિવારે અભિવાદન કાર્યક્રમ યોજાયો છે. કાર્યક્રમમાં પાટણ શહેર, તાલુકા તથા સરસ્વતી તાલુકા સહિત સમગ્ર પાટણ જિલ્લાના અગ્રણીઓ હાજર રહેશે. ઉપસ્થિત મહાનુભાવોમાં રાહુલ પટેલ, ગિરીશ મોદી, હર્ષ પટેલ, કિશોર મહેશ્વરી, દર્શક ત્રિવેદી, ભરત પટેલ, દિલીપ દેસાઈ, કિરણ દેસાઈ અને જેતાજી ઠાકોરનો સમાવેશ થાય છે.
કાર્યક્રમની વિશેષતા રૂપે 15000 કિલોથી વધુ અનાજ એકત્રિત કરવામાં આવ્યું છે, જેમાં ઘઉં, બાજરી, બંટી, જુવાર અને મકાઈનો સમાવેશ થાય છે. આ અનાજની પહેલા પૂજા-અર્ચના કરવામાં આવશે અને ત્યારબાદ કે.સી. પટેલને અર્પણ કરાશે. આ અનુયાયી સેવાભાવના દાખલ રૂપે, અનાજનું વિતરણ પશુ-પક્ષીઓને કરવામાં આવશે અને શેષ અનાજ શ્રી હરિઓમ ગૌશાળા તથા વચ્છરાજ દાદાની ગૌશાળામાં મોકલવામાં આવશે.
એપીએમસીના ચેરમેન સ્નેહલ પટેલે જણાવ્યું કે, આ નવતર સેવાભાવી અભિવાદન કાર્યક્રમ નવી દિશા દર્શાવતો બને છે. પાટણ શહેરની સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓ કે.સી. પટેલને વિવિધ ભેટસોગાદથી સન્માનિત કરશે. સરસ્વતી તાલુકાના નગરજનો પણ નોટબુક અને અન્ય ભેટસોગાદ આપી અભિવાદન કરશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર