ગીર સોમનાથ, 31 મે (હિ.સ.) કેન્દ્ર સરકારે આ વર્ષે પાંચમી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી માટે ‘વિશ્વમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત’ થીમ નિર્ધારિત કરી છે. જે અન્વયે ‘પ્લાસ્ટિક પ્રદૂષણ’ને દૂર કરવા ૨૨મી મેથી પાંચ જૂન સુધી પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા અંગે લોકજાગૃતિ માટે જિલ્લામાં પ્રિ-કેમ્પેઈન ચાલી રહ્યા છે.
પ્લાસ્ટિક પ્રદૂષણ અવેરનેસ અંતર્ગત કોડીનાર નગરપાલિકા દ્વારા ડૉ.આંબેડકર ચોક, નાલંદા સ્કૂલ સામે, બ્રહ્મપુરી ખાતે રિડ્યૂઝ, રિયૂઝ, રિસાઈકલ એટલે કે આર.આર.આર. સેન્ટર ચાલું કરવામાં આવ્યું છે.
પ્લાસ્ટિક નાબૂદી ઉપક્રમે શરૂ કરવામાં આવેલા આ આર.આર.આર સેન્ટરમાં લોકો પ્લાસ્ટિક જમા કરાવે છે અને આ પ્લાસ્ટીકની થેલીના બદલે તેમને કાપડની થેલી આપવામાં આવે છે. વધુમાં, કોડીનાર નગરપાલિકાના સભ્યો તેમજ ચીફ ઓફિસરશ દ્વારા લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે સમજૂતી આપવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ