નાગરિકોએ તા.૩૧મી મેએ સાજે ૮.૩૦ કલાકે સાયરન વાગે ત્યારે બ્લેકઆઉટ કરવું ,
લોકોએ મોકડ્રિલ સંબંધી સાચી જાણકારી મેળવવા કે મુશ્કેલી નિવારવા માટે શહેર પોલીસના અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના સંપર્ક નંબર જાહેર કરાયા
નાગરિકોએ તા.૩૧મી મેએ સાજે ૮.૩૦ કલાકે સાયરન વાગે ત્યારે બ્લેકઆઉટ કરવું ,


જુનાગઢ 31 મે (હિ.સ.) સિવિલ ડિફેન્સના ભાગરૂપે આયોજિત મોકડ્રીલમાં નાગરિકોએ તા.૩૧મી મેએ સાજે ૮.૩૦ કલાકે સાયરન વાગે ત્યારે બ્લેકઆઉટ કરવાનું રહેશે. ઉપરાંત લોકોએ મોકડ્રિલ સંબંધી સાચી જાણકારી મેળવવા કે મુશ્કેલી નિવારવા માટે જૂનાગઢ શહેર પોલીસના અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે. લોકો અહીં રજૂઆત કરીને મુશ્કેલીઓ નિવારવા માટે જરૂરી મદદ મેળવી શકશે.

તા.૩૧- ૦૫- ૨૦૨૫ ના રોજ સાંજે ૮.૩૦ કલાકે અંધારપટ (બ્લેક આઉટ) કરવામાં આવશે ત્યારે ૨ મિનિટ સુધી સાયરન વગાડવામાં આવશે. ત્યાર બાદ ૯ કલાકે હવાઈ હુમલાની મોકડ્રીલ પૂર્ણ થવાના સંકેત સ્વરૂપે બીજી વખત સાયરન વગાડવામાં આવશે. જે સંકેત આપે છે કે હવાઈ હુમલો સમાપ્ત થયેલ છે.

મોકડ્રીલના સમય દરમિયાન નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી. બ્લેકઆઉટ દરમિયાન સહયોગ આપવા તથા અંધારપટ (બ્લેક આઉટ) દરમિયાન નાગરિકોએ પોતાના ઘરની લાઇટો બંધ કરી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ મોકડ્રિલ સમયે કોઈ પણ સહાય મેળવવા તથા સાચી માહિતી મેળવવા જૂનાગઢ શહેર પોલીસના કંન્ટ્રોલ રૂમના ફોન નં. ૦૨૮૫-૨૬૩૦૬૦૩ તથા જિલ્લા ડિઝાસ્ટર કંન્ટ્રોલ રૂમ નં ૦૨૮૫-૨૬૩૩૪૪૬/૪૭/૪૮ નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande