પોરબંદર, 31 મે (હિ.સ.) પોરબંદર જિલ્લાના NFSA રેશનકાર્ડ ધારકો અત્યારે પણ e-KYC કરાવી શકશે.રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ નાગરિકોનું e-KYC કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લાના નાગરિકોને મામલતદાર કચેરી , ગામમાં વીસી દ્વારા તેમજ ગામમાં સસ્તા અનાજની દુકાનોધારકો પાસે અત્યારે પણ ઈ કેવાયસીની કામગીરી કરવામાં આવશે. જે નાગરિકોને ઈ - કેવાયસી કરવાનું બાકી છે વહેલી તકે ઈ - કેવાયસી કરાવી શકશે અને નાગરિકો ઘર બેઠા પણ પોતાનું ઈ કેવાયસી માય રેશન મોબાઇલ એપ્લીકેશન દ્વારા ફેસ ઓથેન્ટીકેશન મારફતે e-KYC કરી શકે છે. ઉપરોક્ત જગ્યાઓ પર ઈ કેવાયસીની કામગીરી ચાલું છે અને જે લોકોએ ઈ કેવાયસી કરાવેલ છે તેમને અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવે જ છે.
જે લોકોએ ઈ કેવાયસી કરાવવાનું બાકી છે તે ઈ કેવાયસી કરાવી લેશે પછી તેમને જથ્થો આપવામાં આવશે. તેથી પુરવઠા વહીવટી તંત્રની જે કાર્ડ ઘારકોનું ઈ કેવાયસી બાકી છે તેમને ઈ કેવાયસી કરાવી લેવાં અપીલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya