પાટણ, 31 મે (હિ.સ.)શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણી અંતર્ગત, સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને વિવિધ વિકાસ કામોનો શુભારંભ કરવામાં આવ્યો. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ રૂ.4.14 કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.8 કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
મંત્રી બળવંતસિંહ રાજપૂતે, સરસ્વતી નદીમાં નિર્માણાધીન રિવરફ્રન્ટની મુલાકાત પણ લીધી હતી. તેમણે જણાવ્યું કે, નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કામોથી વિસ્તારની પ્રગતિ થશે. ધરોઈ અને નર્મદા નદીઓમાંથી શહેરી વિસ્તાર માટે શુદ્ધ પાણી પૂરું પાડવાની યોજના પણ પૂર્ણતાની નજીક છે.
કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સિદ્ધપુર ઝડપથી વિકાસના પંથે આગળ વધી રહ્યું છે, એવી વાતો પ્રકાશિત કરવામાં આવી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ સોનલબેન ઠાકર, સંગઠનના હોદ્દેદારો નંદાજી ઠાકોર, રમેશભાઈ સિંઘવ અને એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ સહિત વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર