પાટણ જિલ્લામાં NFSA રેશનકાર્ડ માટે e-KYC ફરજિયાત
પાટણ, 31 મે (હિ.સ.)પાટણ જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ NFSA રેશનકાર્ડ ધારકો માટે e-KYC ફરજિયાત કરાયું છે. જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું કે, જે લાભાર્થીઓએ e-KYC કરાવ્યું છે, તેમને જ અનાજનો જથ્થો આપવામાં આવશે. જે કાર્ડધારકોનું e-KYC બાકી છે, તેમ
પાટણ જિલ્લામાં NFSA રેશનકાર્ડ માટે e-KYC ફરજિયાત


પાટણ, 31 મે (હિ.સ.)પાટણ જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ NFSA રેશનકાર્ડ ધારકો માટે e-KYC ફરજિયાત કરાયું છે. જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું કે, જે લાભાર્થીઓએ e-KYC કરાવ્યું છે, તેમને જ અનાજનો જથ્થો આપવામાં આવશે. જે કાર્ડધારકોનું e-KYC બાકી છે, તેમને જથ્થો આપવામાં નહીં આવે, જેથી તમામ બાકી રહેલા લાભાર્થીઓને તાત્કાલિક e-KYC પૂર્ણ કરવા અપીલ કરવામાં આવે છે.

લાભાર્થીઓ e-KYC માટે વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરી શકે છે. તેઓ મામલતદાર કચેરી જઈને, ગામના ઈ-ગ્રામ સેન્ટરના વીસીઈ પાસે અથવા સસ્તા અનાજની દુકાનના ધારકો દ્વારા પણ e-KYC કરાવી શકે છે. ઉપરાંત, પોસ્ટ વિભાગના કર્મચારીઓ પણ આ સેવા પૂરું પાડી રહ્યા છે.

ખાસ સુવિધા રૂપે, લાભાર્થીઓ ઘરબેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા ફેસ ઓથેન્ટીકેશનથી પણ e-KYC કરી શકે છે. આ તમામ પગલાંના મુખ્ય હેતુ લાભાર્થીઓ સુધી અનાજ વિતરણને વધુ સુચારુ અને પારદર્શી બનાવવાનો છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande