નવસારી, 31 મે (હિ.સ.)-દરેક મમ્મી તેના બાળકની પાછળ દુધનો ગ્લાસ લઇને ભાગતી અને બાળક દુધ ન પીવા માટે આગળ આગળ ભાગતુ દરેક ઘરમા જોયુ હશે. પરંતુ એવુ પણ દુધ છે જેના માટે બાળકો ક્યારેય ના નથી કહેતા એ છે- દુધ સંજીવની યોજના હેઠળ પોષણથી ભરપુર અને અલગ અલગ ફ્લેવર્ડ મિલ્ક.
દૂધ પીવાના ઘણા ફાયદા છે, તેથી 'વિશ્વ દૂધ દિવસ'નો ઉદ્દેશ્ય તેના દુધના ફાયદા વિશે જાગૃતિ વધારવાનો છે. વાસ્તવમાં, દૂધમાં ઘણા પોષક તત્વો હોય છે જેમાં કેલ્શિયમ, પ્રોટીન અને ચરબીનો સમાવેશ થાય છે. આ બાબતને ધ્યાને લઇ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન આદિજાતિ સમુદાયના આરોગ્ય અને પોષણના સ્તરમાં સુધાર લાવવા માટે સતત પ્રયાસો કર્યા હતા. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના તેમના નેતૃત્વ હેઠળ આદિજાતિ વિસ્તારોની મહિલા અને બાળકોમાં પોષણની સ્થિતિ સુધારવા માટે 'દૂધ સંજીવની યોજના' શરૂ કરવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ લાખો આદિજાતિ મહિલાઓ અને બાળકો દૂધ સંજીવની યોજનાનો લાભ મેળવી રહ્યા છે.
નવસારી જિલ્લામાં 'દૂધ સંજીવની યોજના’ હેઠળ, નવસારી જિલ્લાના કુલ 23814 આદિજાતિ બાળકોને ફ્લેવર્ડ દૂધ આપીને, વધુ સશક્ત-પોષણક્ષમ બનાવવાનું કાર્ય જિલ્લા તંત્ર દ્વારા બખુબી હાથ ધરાયું છે.
આ યોજના અંતર્ગત નવસારી જિલ્લાના 3તાલુકાઓ પૈકી ખેરગામ તાલુકાની ૭૯ આંગણવાડીઓ, વાંસદા તાલુકાની 277 આંગણવાડીઓ, ચીખલી તાલુકાની 316આંગણવાડીઓ, મળી કુલ 672 આંગણવાડીઓના વિદ્યાર્થીઓ મળી કુલ 23814 બાળકોને આવરી લઈ, અઠવાડિયાના પાંચ દિવસ, દરરોજ (ઇલાઇચી, મેંગો, ચોકલેટ, ફ્લેવર્ડ) 100 ML દૂધ રૂ.3018052 ના ખર્ચે પુરું પાડવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે