વડોદરામાં દુષિત પાણીની સમસ્યાથી રહેવાસીઓ પરેશાન, નગરપાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલો
વડોદરા, 1 જૂન (હિ.સ.)-વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ ભીમનાથ બ્રિજ પાસે નળમાંથી સતત દુષિત પાણી આવતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પાલિકા તરફથી પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળતા જણાતા નારાજ રહેવાસીઓએ માટલા ફોડી શુદ્ધ પાણીની માંગ સાથે વિરોધ
Vadodara


વડોદરા, 1 જૂન (હિ.સ.)-વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ ભીમનાથ બ્રિજ પાસે નળમાંથી સતત દુષિત પાણી આવતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પાલિકા તરફથી પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળતા જણાતા નારાજ રહેવાસીઓએ માટલા ફોડી શુદ્ધ પાણીની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે.

લોકોએ પાલિકા તંત્ર સામે ગંભીર આક્ષેપ કરીને જણાવ્યું હતું કે, ફરીવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ પગલાં લેવાયા નથી. દુષિત પાણી પીવાના કારણે અનેક રહીશોમાં આરોગ્ય સંબંધી સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે. આ સ્થિતિમાં પણ જો તંત્રએ ગતિવિધી ન દેખાડે, તો રહીશોએ પાલિકા અધિકારીઓને આ દુષિત પાણી પીવડાવવાની ચીમકી ઉચ્ચારી છે.

સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે અને તેમને સ્વચ્છ પીવાનું પાણી પૂરુ પાડે, નહીં તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande