ગાંધીનગર, 1 જૂન (હિ.સ.) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત, સંઘ શિક્ષા વર્ગનું આયોજન 16/05/2025 થી 31/05/2025 સુધી આમોદ મુકામે સ્વામીનારાયણ વિદ્યાલય માં થયું. આ સંઘ શિક્ષા વર્ગમાં કુલ 167 શિક્ષણાર્થીઓ 24 શિક્ષકો અને 30 પ્રબંધકો ઉપસ્થિત રહ્યા. આ વર્ગમાં ગુજરાત પ્રાંતના નડિયાદ થી ઉમરગામ સુધીના સ્વયંસેવકો વિવિધ વિષયો પરનો શિક્ષણ મેળવ્યો અને શારીરિક માનસિક સાથે બૌદ્ધિક વિકાસ કર્યો. આ વર્ગ દરમિયાન ભોજનની વ્યવસ્થા સ્વરૂપે આમોદ - જંબુસરના કુલ 3018 પરિવારમાંથી દરેક સમાજમાં થી રોજ રોટલી ભાખરી સહયોગ સ્વરૂપે આવી.
સંઘ શિક્ષા વર્ગના સમારોપ કાર્યક્ર્મમાં અતિથિ વિશેષ તરીકે શ્રી રાજેન્દ્રસિંહ માંગરોલા ઉપસ્થિત રહ્યા. જેમણે સંઘના 100 વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન આપ્યા અને વિશ્વાસ સાથે કહ્યું કે દેશની મુશ્કેલી સમય સૌપ્રથમ દેશની પડખે ઉપસ્થિત રહેનાર સંગઠન એટલે સંઘ.
મુખ્ય વક્તા શ્રી શૈલેષભાઈ પટેલ પ્રાંત કાર્યવાહી ગુજરાત પ્રાંતએ તેમના ઉદબોધનમાં સ્વયંસેવકનું કર્તવ્ય એટલે સંઘની પ્રાર્થના એક કલાકની શાખા દ્વારા અજય શક્તિ, જગત નમ્રતા, જ્ઞાન, ધ્યેનિષ્ઠા સાથે રાષ્ટ્ર પરમ વૈભવની કામના. સંઘના 100 વર્ષ પૂર્ણ થતા સંઘ શતાબ્દી વર્ષના રૂપમાં પંચ -પરિવર્તનના વિષય સાથે સ્વયંસેવક સમાજના દરેક ઘરે જઈ
1. સમરસતા
2. પર્યાવરણ
3. સ્વ આધારિત
4. નાગરિક કર્તવ્ય
5. કુટુંબ પ્રબોધન વાત કરશે અને સજ્જન શક્તિ જાગરણ દ્વારા સૌને વિશ્વ કલ્યાણ સાથે જોડવાની પ્રાર્થના.
આ વર્ગમાં રાજેશભાઈ જોષી (સર્વાધિકારી), તેજસભાઇ પટેલ (વર્ગ કાર્યવાહ), પ્રકાશભાઇ પટેલ (વર્ગના વાલી) તથા મનોજભાઈ કલસરિયા (મુખ્ય શિક્ષક) તરીકે પૂર્ણ સમય ઉપસ્થિત રહ્યા હતા. વર્ગ દરમિયાન સવારે 4:30 વાગ્યે જાગરણ થી શરૂ થઈ રાત્રિના 10:15 વાગ્યાં સુધીના સમયમાં સંઘકાર્ય વિસ્તાર અને દૃઢીકરણ માટે વિવિધ પ્રકારનું શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ