અમદાવાદ, 12 જૂન (હિ.સ.) : દસક્રોઈ તાલુકાના સિંગરવા ગામે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો સમાપન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને કૃષિને લગતી વિવિધ યોજનાઓ, તેના લાભો, યોજના અંતર્ગત સહાય મેળવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ સમાપન સમારોહમાં દસ્ક્રોઈ અને આસપાસના તાલુકાના 380 જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ખેડૂતોને ડ્રોન દ્વારા દવા અને ખાતરનો છંટકાવ કેવી રીતે કરી શકાય તે બાબતની માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ સમાપન સમારોહમાં અભિયાનના નોડલ ઓફિસર ડો. એન. કે. રાઠોડ, બાગાયત વિભાગના અધિકારીશ્રી વત્સલ રાવલ, કૃષિ યુનિવર્સિટીના ડો. એન. આર. પટેલ, ડો. ધવલ પઢેરીયા, અક્ષય રામશ્રી તથા ક્રિષ્ણા ચૌધરી સહિત સ્થાનિક આગેવાનો અંકિતસિંહ ચૌહાણ, સરપંચ તેમજ દૂધ સહકારી મંડળીના પ્રમુખ રમણલાલ ખોડીદાસ ભોઈ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ