વિમાન દુર્ઘટનાના અસરગ્રસ્તો માટે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા પ્રાર્થના અને રાહતસેવા
ગાંધીનગર, 13 જૂન (હિ.સ.) : ગઈકાલે તારીખ 12-6-2025ના રોજ અમદાવાદ ખાતેથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટના થતા ખૂબ મોટી તારાજી સર્જાઈ છે. આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો-હરિભક્તોએ અસરગ્રસ્તો મ
બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા પ્રાર્થના અને રાહતસેવા


બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા પ્રાર્થના અને રાહતસેવા


બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા પ્રાર્થના અને રાહતસેવા


ગાંધીનગર, 13 જૂન (હિ.સ.) : ગઈકાલે તારીખ 12-6-2025ના રોજ અમદાવાદ ખાતેથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટના થતા ખૂબ મોટી તારાજી સર્જાઈ છે. આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો-હરિભક્તોએ અસરગ્રસ્તો માટે પ્રાર્થના કરી છે.

દિવંગત આત્માઓને શાંતિ પ્રાપ્ત થાય, તેમના સ્વજનોને આ આપત્તિ જીરવવાનું આત્મબળ પ્રાપ્ત થાય, ઇજાગ્રસ્તો વહેલામાં વહેલી તકે સ્વસ્થ બને તે માટે સૌએ પ્રાર્થના કરી છે. બી.એ.પી.એસ. સંસ્થાએ આ પ્રસંગે દુર્ઘટના ગ્રસ્તો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને સેવા માટે હાથ લંબાવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande