ઉત્તર પ્રદેશ: ભયાનક માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત, એક ઘાયલ
અમેઠી, નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.). ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં રવિવારે સવારે એક મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સ, એક પિકઅપ વાહન સાથે અથડાઈ. જેના કારણે એમ્બ્યુલન્સમાં સવાર છમાંથી પાંચ લોકોના મોત થયા. પોલીસે બચાવ કાર્ય શરૂ કર્યું છે અને પૂર્વાંચલ એક્સપ્ર
અકસ્માત


અમેઠી, નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.). ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં રવિવારે સવારે એક મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સ, એક પિકઅપ વાહન સાથે અથડાઈ. જેના કારણે એમ્બ્યુલન્સમાં સવાર છમાંથી પાંચ લોકોના મોત થયા. પોલીસે બચાવ કાર્ય શરૂ કર્યું છે અને પૂર્વાંચલ એક્સપ્રેસ વે પરથી અકસ્માતગ્રસ્ત વાહનને હટાવીને રસ્તો સાફ કરવામાં વ્યસ્ત છે.

બજાર શુકુલ પોલીસ સ્ટેશનના એસએચઓ અભિનેશ કુમારે જણાવ્યું હતું કે, આ ઘટના રવિવારે સવારે 6 વાગ્યાની આસપાસ બની હતી. જ્યાં પરિવાર હરિયાણાથી એક મૃતદેહને લઈને એમ્બ્યુલન્સમાં બિહાર જઈ રહ્યો હતો. પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર એમ્બ્યુલન્સે, પાછળથી આગળ જઈ રહેલા પિકઅપને ટક્કર મારી. ટક્કર એટલી ગંભીર હતી કે એમ્બ્યુલન્સમાં સવાર 6 લોકોમાંથી પાંચનું ઘટનાસ્થળે જ મોત થયું. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે.

પોલીસ ટીમ બચાવ કાર્યમાં લાગી ગઈ. ક્રેશ થયેલી એમ્બ્યુલન્સમાંથી બધાને બહાર કાઢીને સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ પાંચ લોકોને મૃત જાહેર કર્યા. જ્યારે છઠ્ઠા ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બજાર શુકુલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. મૃતકો પાસેથી મળેલા આધાર કાર્ડ પરથી તેમની ઓળખ શર્મા પરિવાર તરીકે થઈ છે, જે બિહારના રહેવાસી છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ત્રિપાઠી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande