અહિલ્યાનગરમાં ટ્રક અને ખાનગી બસ વચ્ચે ટક્કરમાં, ત્રણ લોકોના મોત અને આઠ ઘાયલ
મુંબઈ, નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.) રવિવારે અહિલ્યાનગર જિલ્લામાં કોલ્હાર-ઘોટી હાઇવે પર, સંગમનેર વિસ્તારમાં એક હાઇ સ્પીડ ટ્રક અને ખાનગી બસ વચ્ચે ટક્કરમાં ત્રણ લોકોના મોત અને આઠ અન્ય ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સરકારી હોસ્પિટલ
અહિલ્યાનગરમાં ટ્રક અને ખાનગી બસ વચ્ચે ટક્કરમાં, ત્રણ લોકોના મોત અને આઠ ઘાયલ


મુંબઈ, નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.)

રવિવારે અહિલ્યાનગર જિલ્લામાં કોલ્હાર-ઘોટી હાઇવે પર, સંગમનેર વિસ્તારમાં એક હાઇ

સ્પીડ ટ્રક અને ખાનગી બસ વચ્ચે ટક્કરમાં ત્રણ લોકોના મોત અને આઠ અન્ય ઘાયલ થયા છે.

તમામ ઘાયલોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ત્રણેય મૃતદેહો

બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, “સંગમનેર વિસ્તારમાં આજે સવારે લોનીથી સંગમનેર

જઈ રહેલી એક હાઇ સ્પીડ બસે મુંબઈથી શિરડી જઈ રહેલી ખાનગી બસને ટક્કર મારી હતી. આ

ઘટનામાં બસમાં બે મુસાફરો અને ટ્રકના સહ-ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

બસમાં મુસાફરી કરી રહેલા આઠ મુસાફરોને પણ ઇજા થઈ હતી.

ઘટનાની માહિતી મળતાં પોલીસ

અને સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘાયલોને સારવાર માટે સરકારી

હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ ટ્રકના સહ-ડ્રાઇવર ફિરોઝ લાલા

શેખ (46), સંગમનેરના

રહેવાસી.બસ મુસાફરો અંજુ રવિન્દ્ર વાલ્મીક (39) અને પ્રવીણ સોપાન

કંડલકર (28), બંને હરિયાણાના

રહેવાસી તરીકે થઈ છે. સંગમનેર તહસીલ પોલીસ ટીમ આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે.”

હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર યાદવ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande