કોંગ્રેસ ઈરાન પર ઈઝરાયલી હુમલાઓને, શાંતિ માટે ગંભીર ખતરો ગણાવે છે
નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.) કોંગ્રેસ પાર્ટીએ ભારતના સત્તાવાર વલણથી વિપરીત, ઈઝરાયલ દ્વારા ઈરાની ભૂમિ પર તાજેતરના હુમલાઓ અને લક્ષિત હત્યાઓની સખત નિંદા કરી છે. પાર્ટીના સંચાર મહાસચિવ જય રામ રમેશે જણાવ્યું હતું કે,” આ હુમલો પ્રા
યુદ્ધ


નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.) કોંગ્રેસ પાર્ટીએ ભારતના સત્તાવાર વલણથી

વિપરીત, ઈઝરાયલ દ્વારા

ઈરાની ભૂમિ પર તાજેતરના હુમલાઓ અને લક્ષિત હત્યાઓની સખત નિંદા કરી છે. પાર્ટીના

સંચાર મહાસચિવ જય રામ રમેશે જણાવ્યું હતું કે,” આ હુમલો પ્રાદેશિક અસ્થિરતામાં

વધારો કરશે અને વૈશ્વિક શાંતિ માટે ગંભીર ખતરો છે.”

તેમણે એક્સના રોજ જારી કરાયેલા એક નિવેદનમાં કહ્યું હતું કે,”

આ ઈરાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે અને આવી લશ્કરી કાર્યવાહી વધુ સંઘર્ષ માટે

જમીન તૈયાર કરે છે.” કોંગ્રેસ માને છે કે રાજદ્વારી, સંવાદ અને આંતરરાષ્ટ્રીય સહયોગ એકમાત્ર ટકાઉ

માર્ગ છે. હિંસા દ્વારા કોઈ ઉકેલ શક્ય નથી.

જયરામ રમેશે ચેતવણી આપી હતી કે, જો આ મુકાબલો ચાલુ રહેશે, તો પહેલાથી જ

સંવેદનશીલ પશ્ચિમ એશિયા ક્ષેત્ર વ્યાપક યુદ્ધ તરફ આગળ વધી શકે છે, જે માનવતાવાદી

અને આર્થિક વિનાશ તરફ દોરી જશે. તેમણે ભારત સરકારને આ મુદ્દા પર સ્પષ્ટ વલણ

અપનાવવા અને તમામ રાજદ્વારી માધ્યમોનો ઉપયોગ કરીને તણાવ ઘટાડવા માટે નક્કર પગલાં

લેવા અપીલ કરી.

કોંગ્રેસે એમ પણ કહ્યું હતું કે,” ભારતના ઈરાન સાથે સભ્યતા

સંબંધો છે અને તાજેતરના દાયકાઓમાં, ઈઝરાયલ સાથે વ્યૂહાત્મક સંબંધો પણ મજબૂત થયા છે. આ અનોખી

પરિસ્થિતિમાં, ભારતની ભૂમિકા

શાંતિ સેતુ તરીકે હોવી જોઈએ.” પક્ષે એમ પણ કહ્યું કે,” લાખો ભારતીય નાગરિકો પશ્ચિમ

એશિયામાં રહે છે અને કામ કરે છે. તેથી, ત્યાં શાંતિ માત્ર એક ભૂ-રાજકીય મુદ્દો નથી, પરંતુ ભારત માટે

રાષ્ટ્રીય હિત પણ છે.”

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande