ગાઝિયાબાદ, નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.)
લગભગ પાંચ વર્ષ પછી, રવિવારે સવારે
ઇન્દિરાપુરમ સ્થિત કૈલાશ માનસરોવર ભવનથી, કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થઈ. પર્યટન
અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે રવિવારે સવારે, કૈલાશ માનસરોવર જવા રવાના થયેલા 50 યાત્રાળુઓને
લીલી ઝંડી આપી રવાના કર્યા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી સુનીલ શર્મા, સાંસદ અતુલ ગર્ગ, આચાર્ય પ્રમોદ
કૃષ્ણમ, ભાજપ મહાનગર
પ્રમુખ મયંક ગોયલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે પર્યટન મંત્રી જયવીર સિંહે જણાવ્યું હતું કે,” આ
યાત્રા 5 વર્ષ પછી શરૂ થઈ
છે અને માનસરોવર યાત્રાળુઓની ટુકડીઓ 25 ઓગસ્ટ સુધી રવાના થતી રહેશે.” તેમણે કહ્યું કે,”
ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ સ્થિત કૈલાશ માનસરોવર ભવનમાં 288 યાત્રાળુઓના,
રોકાણ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, યુપીએસટીડીસી બધી વ્યવસ્થાઓનું ધ્યાન રાખી રહ્યું છે. સૂચના
આપવામાં આવી છે કે, યાત્રાળુઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને તેમને સમય
પહેલા બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.”
તેમણે પહેલા જૂથને શુભકામનાઓ પાઠવતા તેમણે કહ્યું કે,”
ત્યાંથી પાછા ફર્યા પછી, તેમને 90 દિવસમાં રાજ્ય
સરકાર દ્વારા, એક લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવશે. આ માટે, તેમણે ફક્ત એક જ
ફોર્મ ભરવાનું રહેશે.”
હિન્દુસ્થાન સમાચાર / ફરમાન અલી / ડૉ. જીતેન્દ્ર પાંડે /
સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ