પ્રયાગરાજ, નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.). રવિવારે પ્ર્યાગરાજ ના બારા પોલીસ સ્ટેશન વિસ્તારના સોનવર્ષા ગામમાં વીજળી પડવાથી 4 લોકોના મોત થયા. માહિતી મળતાં જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસે ચારેય મૃતદેહોને કબજે લીધા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
યમુનાનગરના નાયબ પોલીસ કમિશનર વિવેક ચંદ્ર યાદવે જણાવ્યું હતું કે, બારા પોલીસ સ્ટેશન વિસ્તારના સોનવર્ષા ગામના રહેવાસી વીરેન્દ્ર વનવાસી (35 વર્ષ), તેમની પત્ની પાર્વતી (32 વર્ષ) અને બે પુત્રીઓ રાધા અને કરિશ્મા એક ઝૂંપડીમાં સૂતા હતા. મોડી રાત્રે અચાનક હવામાન બદલાયું અને વીજળી પડવાથી આ બધા લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. પોલીસ ટીમ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સહાયક પોલીસ કમિશનર બારાએ જણાવ્યું હતું કે, પંચનામા ભર્યા બાદ ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / રામ બહાદુર પાલ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ