પોરબંદર, 16 જૂન (હિ.સ.) : પોરબંદરના હાઈવે પર અસ્માત નિવારવાના ભાગરૂપે પોરબંદર રાજકોટ હાઇવે પર વાહનોમાં રિફલેકટર્સ લગાવવાની કામગીરી ટ્રાફીક પોલીસ દ્રારા કરવામા આવી હતી. ટ્રાફિક પી.એસ.આઈ કે.બી.ચૌહાણ તથા તેમની ટીમ દ્રારા વાહનોમાં રિફલેકટર્સ લગાવવાની કામગીરી કરવામા આવી હતી અને વાહનચાલકોને રિફલકેટર્સ વાહનોમા લાગડવા જરૂરી હોવાની સમજણ પણ આપી હતી.
અત્રે ઉલ્લેલખનીય છેકે રિફલકેટર્સના કારણે રાત્રે દુરથી વાહન દેખાય છે, જેના કારણે અકસ્માત પણ નિવારી શકાય છે. ટ્રાફિક પી.એસ.આઈ કે.બી.ચૌહાણ તથા તેમની ટીમ દ્વારા આ ઉત્તમ કામગીરી કરવામાંંઆવી છે. આ વિવિધ કામગીરીથી લોકોમાં જાગૃતતા આવશે અને અકસ્માતો ઘટશે અને લોકોની સુરક્ષામાં વધારો થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya