ગાંધીનગર, 18 જૂન (હિ.સ.) : ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આગામી સમયમાં “ધારણથી સંતતિ અવતરણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવપરિણીત અને સંતાનવાંચ્છુક દંપત્તિના પ્રશિક્ષણ વર્ગ અને પ્રકૃતિ પરિક્ષણનું છે.
ભારતીય સંસ્કૃતિમાં માનવ જીવનના સર્વાંગી વિકાસ માટે વિચારવામાં આવેલાં સોળ સંસ્કારોમાં દરેક સંસ્કારનું આગવું સ્થાન છે. આમાંથી પ્રથમ સંસ્કાર એટલે કે ‘ગર્ભાધાન સંસ્કાર.’ માતા – પિતા બનનારાં દંપતીનાં શરીર, મન, બુધ્ધિ અને ચિત્તને તૈયાર કરનાર સંસ્કાર એટલે ‘ગર્ભાધાન સંસ્કાર.’ આ રીતે પતિ – પત્ની શારીરિક, પ્રાણિક, માનસિક, બૌધ્ધિક અને આધ્યાત્મિક દ્રષ્ટિથી માતા – પિતા બનવા સક્ષમ થાય છે.
આ કાર્યક્રમમાં આવનાર દંપતિનું પ્રકૃતિ પરિક્ષણ કરી આહાર – વિહાર, શારીરિક, પ્રાણિક, માનસિક, બૌધ્ધિક અને આધ્યાત્મિક રીતે ઉત્તમ સંતતિ માટે સજ્જ કરવા માટે તૈયાર કરવામાં આવશે. આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કોઈપણ દંપત્તિ લાભ લઈ શકે છે. આ કાર્યક્રમમાં જોડાવવા માટે દંપત્તિ તા.19/06/2025 થી તા.30/06/2025 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાશે. રજિસ્ટ્રેશન કરાવવા માટે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની વેબસાઈટ www.cugujarat.ac.in પર અથવા https://forms.gle/3m3kuJkxULTg9Z6g7 મારફતે રજિસ્ટ્રેશન કરવા વિનંતી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ