જિલ્લા વહીવટી તંત્રએ જિમુલિયા પરિવારને દુઃખની ઘડીમાં સાંત્વના આપી, મૃતકનાં પુત્ર તથા વિશાળ સંખ્યામાં સગા-સબંઘીઓની હાજરીમાં ત્રિવેણી ,વેરાવળ ખાતે અંતિમ સંસ્કાર કરાયા
ગીર સોમનાથ 18 જૂન (હિ.સ.) અમદાવાદથી લંડનની ઉડાન ભરી રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ 171 વિમાન ટેકઓફ થયાની 2 મિનિટમાં ગુરુવારે બપોરે 1:40 કલાકે મેઘાણીનગર આઇજીપી કંપાઉન્ડમાં ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 240થી વધુ પેસેન્જર અને ક્રૂ મેમ્બર હતા. આ પ્લેનમાં ગીર
જિલ્લા વહીવટી તંત્રએ જિમુલિયા પરિવારને દુઃખની ઘડીમાં સાંત્વના આપી, મૃતકનાં પુત્ર તથા વિશાળ સંખ્યામાં સગા-સબંઘીઓની હાજરીમાં ત્રિવેણી ,વેરાવળ ખાતે અંતિમ સંસ્કાર કરાયા*


ગીર સોમનાથ 18 જૂન (હિ.સ.) અમદાવાદથી લંડનની ઉડાન ભરી રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ 171 વિમાન ટેકઓફ થયાની 2 મિનિટમાં ગુરુવારે બપોરે 1:40 કલાકે મેઘાણીનગર આઇજીપી કંપાઉન્ડમાં ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 240થી વધુ પેસેન્જર અને ક્રૂ મેમ્બર હતા. આ પ્લેનમાં ગીર સોમનાથ જિલ્લાના કુલ-૫ પેસેન્જર હતા.જે પૈકી 2(બે) પેસેન્જર વેરાવળ તાલુકાના હતા. અમદાવાદ ખાતે થયેલા દુર્ભાગ્યપૂર્ણ પ્લેનક્રેશમાં દુઃખદ અવસાન થયાં હતાં.

જીલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિવારજનોનો સંપર્ક કરી સાંત્વના પાઠવવામાં આવી હતી. મૃતકોની બોડી લઈ આવવા તથા સમગ્ર કાર્યવાહી માટે પ્રાંત અધિકારીશ્રી,વેરાવળને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

મૃતકના પરિવાર સાથે સંકલનની કામગીરી માટે એક ડોક્ટર તથા એક નાયબ મામલતદારની ટીમને અમદાવાદ ખાતે મોકલવામાં આવી હતી. આ ટીમ દ્વારા મૃતકના પરિવારજનો સાથે રહીને સંકલન કરવામાં આવેલ જેમાં બંને મૃતકોનાં DNA મેચ થતાં મૃતકના પરિવારને તા.૧૭/૬/૨૦૨૫ના રોજ સાંજે બોડી સુપરત કરવામાં આવી હતી.

જીલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા અવસાન પામેલ બંને મૃતકની બોડી એમ્બ્યુલન્સ મારફત વેરાવળ ખાતે લાવવામાં આવી હતી. મૃતકના પુત્ર તથા વિશાળ સંખ્યામાં સગા-સબંઘી તથા ૫રિવાર દ્વારા નક્કી થયા મુજબ ત્રિવેણી, વેરાવળ ખાતે અંતિમ સંસ્કાર કરાયાં હતાં. જેમાં મૃતકનાં પુત્ર, ૫રિવારનાં સભ્યો તથા સગા-સબંઘીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

પ્રાંત અધિકારી, વેરાવળની ટીમનાં સભ્યો ૫ણ દિવંગતની અંતિમ યાત્રામાં જોડાઈ અને તેમના પરિવારને મળીને સાંત્વના આપી હતી અને દુઃખની આ પળોમાં સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિવારને શક્ય તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande