દીવ, 18 જૂન (હિ.સ.) અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટનામાં દીવ ના પટેલ વાડી ખાતે વિશ્વાસ ના ભાઈ અજય ની ડેથ બોડી દીવ પહોંચી હતી.
પરિવાર માં વલોપાત થઇ ગયો હતો. દીવ ના પટેલ વાડી થી અજય ની અંતિમ યાત્રા નીકળી હતી.વિશ્વાસ પોતાના ભાઈ ની અંતિમ યાત્રા માં જોડાયો હતો. વિશ્વાસે પોતાના ભાઈ ની કાધ આપી હતી. વિશ્વાસે સ્મશાન જવાની જીદ કરી હતી. પરિવારે તેના આરોગ્ય ને લઈને સ્મશાન જવા મનાઈ કરી હતી પરંતુ વિશ્વાસ માનવા તૈયાર થયો નહિ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ