નવી દિલ્હી, 18 જૂન (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેમની ત્રણ દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં બુધવારે ક્રોએશિયા પહોંચ્યા. આ ભારતીય પ્રધાનમંત્રીની ક્રોએશિયાની પ્રથમ મુલાકાત તરીકે પરસ્પર હિતોના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ માટે નવા માર્ગો ખોલશે.
પ્રધાનમંત્રી 15-19 જૂન દરમિયાન સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની મુલાકાતે છે. આ મુલાકાતના છેલ્લા તબક્કામાં, પ્રધાનમંત્રી ક્રોએશિયાના પ્રધાનમંત્રી આન્દ્રેજ પ્લેન્કોવિચના આમંત્રણ પર 18 જૂને સત્તાવાર મુલાકાતે ક્રોએશિયા પહોંચ્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે, ભારત-ક્રોએશિયા સંબંધોમાં એક ઐતિહાસિક સીમાચિહ્ન પ્રાપ્ત થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્રોએશિયાના જાગ્રેબ પહોંચ્યા. આ કોઈ ભારતીય પ્રધાનમંત્રીની ક્રોએશિયાની પ્રથમ મુલાકાત છે. ખાસ સન્માન તરીકે, પ્રધાનમંત્રી આન્દ્રેજ પ્લેન્કોવિચે તેમનું એરપોર્ટ પર ઔપચારિક સ્વાગત કર્યું.
પ્રધાનમંત્રી મોદી, ક્રોએશિયાના પ્રધાનમંત્રી આન્દ્રેજ પ્લેનકોવિચ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને રાષ્ટ્રપતિ જોરાન મિલનોવિચને મળશે. ક્રોએશિયાની આ મુલાકાત યુરોપિયન યુનિયનમાં ભાગીદારો સાથે સંબંધોને વધુ મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂકશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ