પ્લેન ક્રેશમાં પાટણની જૈમિની ચૌધરીનો કરુણ અંત, પતિનું અંતિમ દર્શન પણ રહી ગયું અધૂરું
પાટણ, 18 જૂન (હિ.સ.) : 12 જૂનના રોજ અમદાવાદ ખાતે થયેલી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશમાં શોકની લાગણી ઊભી કરી છે. પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડાની પુત્રવધૂ જૈમિની ચૌધરીનો પણ આ દુર્ઘટનામાં ભોગવટો થયો હતો. લંડનથી બે વર્ષ પછી વતન આવેલી જૈમિની હવે પાછી યુકે જતી હત
પ્લેન ક્રેશમાં પાટણની જૈમિની ચૌધરીનો કરુણ અંત, પતિનું અંતિમ દર્શન પણ રહી ગયું અધૂરું


પ્લેન ક્રેશમાં પાટણની જૈમિની ચૌધરીનો કરુણ અંત, પતિનું અંતિમ દર્શન પણ રહી ગયું અધૂરું


પાટણ, 18 જૂન (હિ.સ.) : 12 જૂનના રોજ અમદાવાદ ખાતે થયેલી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશમાં શોકની લાગણી ઊભી કરી છે. પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડાની પુત્રવધૂ જૈમિની ચૌધરીનો પણ આ દુર્ઘટનામાં ભોગવટો થયો હતો. લંડનથી બે વર્ષ પછી વતન આવેલી જૈમિની હવે પાછી યુકે જતી હતી, પરંતુ દુર્ભાગ્યે પતિ સાથે મળવા માટે કરેલો આ પ્રવાસ અંતિમ સાબિત થયો.

મંગળવારે DNA ટેસ્ટની કામગીરી પૂરી થતા બુધવારે વહેલી સવારે જૈમિનીનો મૃતદેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ મારફતે બ્રાહ્મણવાડા ગામે લવાયો હતો. મૃતદેહ પહોંચતા જ પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો અને ગામમાં ગમગીન માહોલ સર્જાયો હતો.

જૈમિનીના પતિ ગુંજનકુમાર હાલ લંડનમાં રહે છે અને સમાચાર મળતા જ ભારત પરત ફર્યા હતા. તેઓએ અંતિમ યાત્રા દરમિયાન પત્નીનો ચહેરો જોવાની જીદ વ્યક્ત કરી હતી, પરંતુ મૃતદેહની હાલતને પગલે કોફીન બંધ રાખવો પડ્યો હતો. આખરે પતિ તેમજ પરિવારજનોને અંતિમ દર્શન વિના જ અંતિમક્રિયા કરવી પડી હતી.

જૈમિનીના સાસરા દિનેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે એક મહિના અગાઉ પતિ-પત્ની લંડનથી વતન આવ્યા હતા. 15 દિવસ પહેલાં જ પતિ લંડન પરત ગયા હતા જ્યારે જૈમિની દાંતની સારવાર માટે અહીં રોકાઈ હતી. વિમાન દુર્ઘટનાના થોડા સમય પહેલા જૈમિનીએ પતિને ફોન કરીને લંડન એરપોર્ટ આવવા કહ્યું હતું. પરંતુ હવે તે ક્યારેય ન પરત ફરી શકે તેવી વિદાય લઈ ગઈ.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande