પોરબંદર, 18 જૂન (હિ.સ.) : રાણાવાવ પોલીસ દ્વારા ગુમ થયેલા મોબાઈલ શોધી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને કુલ 55,500ની કિંમતના 4 મોબાઈલ પરત સોંપ્યા હતા.
પોરબંદર જિલ્લામાં ગુમ તથા ચોરી થયેલા મોબાઈલ શોધી કાઢવા માટે અધિકરીઓ દ્વારા સૂચના આપવાના આવી હતી તે અંતર્ગત રાણાવાવ પોલીસ દ્વારા 1) નિલેશભાઈ દેવજીભાઈ ભુવા 2) અલ્પાબેન અજયભાઈ મારૂ
3) અવેશ રફીકભાઈ નોતીયાર
4) મેરામણભાઈ મારવાડિયાનો મોબાઈલો ગુમ થયા હતા.રાણાવાવ પોલીસે CEIR પોર્ટલની મદદ થી ખોવાયેલા મોબાઈલ શોધી કાઢ્યા હતા.અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 4 અરજદારો ને ગુમ થયેલા મોબાઈલ પરત સોપિયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya