પોરબંદર, 18 જૂન (હિ.સ.) : ગાંધીભૂમિ પોરબંદરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત માય થેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જુના કપડામાંથી થેલી મનપા દ્વારા બનાવી આપવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ એન.યુ.એલ.એમ. અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત માય થેલી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોરબંદર શહેરના લોકોએ જુના કપડા લઈને શહેરના વાડી પ્લોટ વિસ્તરમાં આવેલી રાજપૂત સમાજની વંડીએ દર અઠવાડિયાના ગુરુવાર અને શુક્રવારના રોજ એમ બે દિવસ લોકોને વિના મુલ્યે કાપડમાંથી થેલી બનાવી આપવામાં આવશે.
લોકોએ જુના કપડાં લઈને આવવાનું રહેશે. રાજપૂત સમાજની વાડીએ ગુરુ અને શુક્રવારના રોજ સવારે 10:30 થી બપોરે 2 કલાક સુધી તેમજ બપોરે ૩ થી સાંજે 6 કલાક સુધી થેલી વિના મુલ્યે બનાવી આપવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya