અમદાવાદ, 2 જૂન (હિ.સ.)-અમદાવાદમાં કોરોના વાયરસનો કહેર આગળ વધી રહ્યો છે. શહેરમાં કોરોના પરથી પહેલું મોત નોંધાયું છે. શાહઆલમ વિસ્તારમાં રહેતી 47 વર્ષની મહિલાનું કોરોના સંક્રમણને કારણે અવસાન થયું છે.
મહિલાને 23 મેએ મણીનગરની એલજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. મૃતક મહિલાને હાઈપરટેન્શન અને બ્લડ પ્રેશર જેવી પૂર્વવતી તબિયતની સમસ્યાઓ પણ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે