રાષ્ટ્રીય અન્ન સુરક્ષા-કાયદો-2013 હેઠળ, સમાવિષ્ટ જિલ્લાના તમામ લાભાર્થીઓ જોગ સંદેશ.
જિલ્લાના તમામ લાભાર્થીઓ જોગ સંદેશ.
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા-કાયદો-2013 હેઠળ, સમાવિષ્ટ જિલ્લાના તમામ લાભાર્થીઓ જોગ સંદેશ.


પોરબંદર, 2 જૂન (હિ.સ.) રાષ્ટ્રીય અન્ન સુરક્ષા-કાયદો-2013 (N.F.S.A) હેઠળ સમાવિષ્ટ રાજયના સહિત પોરબંદર જિલ્લાના તમામ લાભાર્થીઓને “પ્રઘાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિના-મૂલ્યે મળતા અનાજનો લાભ આપવા માટે રાજય સરકાર કટીબધ્ધ છે.આ લાભ મેળવવા માટે અને લાભાર્થીઓને સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સાચા લાભાર્થીઓને નિયત કરેલ ઘારા-ઘોરણ પ્રમાણે લાભ મળે તે માટે e-KYC શરુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 85 ટકાથી વધુ લાભાર્થીઓએ પોતાનું e-KYC પૂર્ણ કરેલ છે.રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા-2013 (N.F.S.A) હેઠળ લાભ મેળવતા તમામ લાભાર્થીઓને અપીલ છે કે, જો આપનું e-KYC બાકી હોય તો ત્વરીત e-KYC કરાવી લેવું અને આપની નજીક વ્યાજબી ભાવની દુકાનો ખાતેથી આપના લાભનું અનાજ મેળવી લેવાનું રહેશે.

આ e-KYC નો ઉદ્દેશ સાચા લાભાર્થીઓની ઓળખ કરવા માટેનો છે જેથી કોઇએ ખોટા સમાચારથી ગેરમાર્ગે ન દોરાવવા તેવી વિનંતી છે.ઉલ્લેખનીય છે કે,રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો- 2013 હેઠળનુ અનાજના જથ્થાનું વિતરણ તા 31/05/2025 સુધીમા પુર્ણ કરવા જણાવવામાં આવેલ છે. પણ હાલ “રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો- 2013 ” હેઠળ સમાવેશ તમામ લાભાર્થીઓના હિતમા મુદતમા વધારો કરીને 05 જુન 2025 સુધી લંબાવેલ છે, જેથી તમામ એન.એફ.એસ.એ. લાભાર્થીને તા 05 જુન 2025 સુધી માહે જુન-2025 માટે યોજનાનો લાભ મેળવી લેવા અનુરોધ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande