પટના, નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.). જય પ્રકાશ નારાયણ (જેપી) પટના એરપોર્ટ પર એરલાઇન કંપનીઓની બેદરકારીને કારણે મુસાફરો સતત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શનિવારે સવારે એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ આઈએક્સ-2936 ચેન્નાઇથી પટના પહોંચી. ફ્લાઇટમાં 186 મુસાફરો સવાર હતા, પરંતુ બે ડઝનથી વધુ મુસાફરોનો સામાન ચેન્નાઇમાં જ રહી ગયો હતો. આને કારણે ગુસ્સે ભરાયેલા મુસાફરોએ હોબાળો મચાવ્યો.
વિમાન પટના એરપોર્ટ પર ઉતરતાની સાથે જ જાહેરાત કરવામાં આવી કે, મુસાફરોનો સામાન બેલ્ટ નંબર 4 પર આવશે. પરંતુ જ્યારે મુસાફરો ત્યાં પહોંચ્યા ત્યારે તેમને સામાન દેખાયો નહીં.
એર ઇન્ડિયાએ બાદમાં જણાવ્યું કે, વિમાનમાં વધુ વજન હોવાથી સામાન લોડ કરી શકાયો નથી. ગુસ્સે ભરાયેલા મુસાફરોએ પટના એરપોર્ટ પર હંગામો મચાવ્યો. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે, એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ સ્ટાફ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ) ના કર્મચારીઓએ હસ્તક્ષેપ કરવો પડ્યો.
એર ઇન્ડિયાના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, વિમાનમાં 186 મુસાફરો હતા. આ કારણે વજન વધી ગયું હતું. ઉનાળાના સમયપત્રકમાં હવા ગરમ રહે છે. વધુ વજન હોવાને કારણે ફ્લાઇટના ટેકઓફમાં સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં, કાર્ગો અને પેસેન્જરની ક્ષમતા ઓછી થઈ જાય છે, જેને ટોલ પેનલ્ટી પણ કહેવામાં આવે છે. આ કારણે, મુસાફરોનો સામાન લાવી શકાયો નથી. એર ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જે મુસાફરોનું સ્ટોપેજ પટના હતું તેમના ઘરે સામાન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકો કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી ગયા છે તેમને એર ઇન્ડિયા દ્વારા બીજા વિમાનમાં મોકલવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ