યોગ એ માત્ર શારીરિક શિસ્ત જ નથી, તે એક ઊંડી માનસિક અને આધ્યાત્મિક સાધના પણ છે - નડ્ડા
નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.). આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, આજે, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ, દિલ્હીમાં કર્તવ્ય પથ પર યોગ કર્યા. આ પ્રસંગે, તેમણે લોકોને શુભેચ્છા પાઠવી અને જીવનમાં યોગ અભ્યાસને સામેલ કરવા હાકલ કરી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ, દિલ્હીમાં કર્તવ્ય પથ પર યોગ કર્યા


નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.). આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, આજે, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ, દિલ્હીમાં કર્તવ્ય પથ પર યોગ કર્યા. આ પ્રસંગે, તેમણે લોકોને શુભેચ્છા પાઠવી અને જીવનમાં યોગ અભ્યાસને સામેલ કરવા હાકલ કરી. તેમણે કહ્યું કે, 'યોગ' શબ્દનો અર્થ 'એક થવું' અથવા 'સંક્ષિપ્ત માં રજુ કરવું' થાય છે - જે શરીર, મન અને આત્માના જોડાણનું પ્રતીક છે. તે માત્ર શારીરિક શિસ્ત જ નથી, પરંતુ એક તીવ્ર માનસિક અને આધ્યાત્મિક સાધના પણ છે.

નડ્ડાએ કહ્યું કે, યોગ દિવસ અને સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવવાનો વિચાર 2014 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કર્યો હતો.

2014 માં તેમણે સંયુક્ત રાષ્ટ્ર સભામાં કહ્યું હતું કે, યોગ દિવસ ઉજવવો જોઈએ અને 170 થી વધુ દેશોએ તેને ટેકો આપ્યો હતો. તે પછી, ડિસેમ્બર 2014 માં, સંયુક્ત રાષ્ટ્રએ જાહેરાત કરી કે, દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવશે.

તેમણે કહ્યું કે, વડા પ્રધાન દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો અને 2015 થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શરૂ થઈ હતી. નડ્ડાએ યોગના ફાયદાઓ પર ભાર મૂકતા કહ્યું કે, યોગ એ આપણા ભારતની એક પ્રાચીન પ્રથા છે. યોગ એ ફક્ત શારીરિક કસરત નથી. તે એક એવો માર્ગ છે, જેના દ્વારા આપણે આપણી આંતરિક ચેતના સાથે જોડાવાનો પ્રયાસ કરીએ છીએ. ઘણીવાર ધ્યાન જેવી પ્રથાઓ દ્વારા, માનસિક સ્વાસ્થ્ય પણ ઠીક કરી શકાય છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande