દશનામ ગૌસ્વામી સમાજને, સોમનાથ ટ્રસ્ટ અને વેરાવળ પાટણનું ગૌરવ
ગીર સોમનાથ 22 જૂન (હિ.સ.) દશનામ ગૌસ્વામી અને સોમનાથ પ્રભાસ પાટણનું ગૌરવ સમાન એવા સોમનાથ પ્રભાસ પાટણના દશનામ ગૌસ્વામી સમાજના અગ્રણી અને સોમનાથ ટ્રસ્ટમાં કાર્યરત જીતુ પુરી ગોસ્વામી આંતરરાષ્ટ્રીય સુપ્રસિદ્ધ કથાકાર ગીરીબાપુ સાથે, વિમાનમાં લંડન જવા રવાના
સોમનાથ ટ્રસ્ટ અને વેરાવળ પાટણનું ગૌરવ તેમણે વધાર્યું


ગીર સોમનાથ 22 જૂન (હિ.સ.) દશનામ ગૌસ્વામી અને સોમનાથ પ્રભાસ પાટણનું ગૌરવ સમાન એવા સોમનાથ પ્રભાસ પાટણના દશનામ ગૌસ્વામી સમાજના અગ્રણી અને સોમનાથ ટ્રસ્ટમાં કાર્યરત જીતુ પુરી ગોસ્વામી આંતરરાષ્ટ્રીય સુપ્રસિદ્ધ કથાકાર ગીરીબાપુ સાથે, વિમાનમાં લંડન જવા રવાના થયા પોરબંદર પાસે ના કુછડી ગામના વતની એવા તેઓ, સેવા ભાવ માટે સર્વત્ર જાણીતા છે.

આ અગાઉ તેઓ સંત સાનિધ્યે કૈલાશ માન સરોવર જઈ આવેલ છે આમ પ્રભાસ પાટણના વતની, અને સંત સેવા સંત સાનિધ્ય અને વિદેશમાં એક માસ સુધી શિવ કથા શ્રવણ માટે નિમંત્રણ મળતા અમદાવાદથી દુબઈ વિમાન દ્વારા લંડન પ્રસ્થાન કર્યું આ ગૌરવશાળી ધર્મ યાત્રા અંગે, સૌએ શુભેચ્છાઓ પાઠવી અને આમ દશનામ ગૌસ્વામી સમાજને સોમનાથ ટ્રસ્ટ અને વેરાવળ પાટણનું ગૌરવ તેમણે વધાર્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande