જૂનાગઢ, 22 જૂન (હિ.સ.) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સ્વસ્થ અને તંદુરસ્ત આરોગ્યની જાળવણી સાથે સમગ્ર વિશ્વને જોડવાનો સંદેશ યોગદ્વારા થઈ રહ્યો છે ત્યારે આજના આ ૧૧માં યોગ દિવસની ઉજવણી સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદના પટાંગણમાં વિદ્યાર્થી,સ્ટાફ તેમજ ક્રીડા ભારતી,સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યોગા થીમ વન અર્થ વન હેલ્થના કોમન યોગ પ્રોટોકલના શુભ સંદેશ સાથે સર્વ લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે બે દિવસ યોગનું આયોજન કરવામાં આવ્યું હતું.શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત આદર્શ નિવાસી શાળા કેશોદના વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક યોગ કર્યા હતા. શાળાના આચાર્ય બી.એસ.ભાવસારે શાળા વતી સૌને શુભેચ્છા પાઠવી હતી.શાળાના વ્યાયામ શિક્ષક અને જૂનાગઢ જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ ડૉ.હમીરસિંહ વાળાએ સમગ્ર વિશ્વને ભારત દેશે વિશ્વના સ્વાસ્થ્ય માટે યોગરૂપી ભેટ આપી છે તેની યાદ અપાવી સૌને નિયમિત યોગ કરવાના સંકલ્પની વાત કરી હતી.
આ કાર્યક્રમમાં એમ.ડી.દાહીમાં, સી.આર.સી.રાજ નંદાણીયા,હીરાભાઈ મૂછાળ,ગીરીશભાઈ,દિનેશભાઈ,વિજયસિંહ વાળા વગેરે જોડાયા હતા.યોગા કોચ અને ટ્રેનર તરીકે સંગીતાબેન કુંભાણી અને મિતલબેન રાદડિયાએ સેવા આપી હતી. આ તકે જિલ્લા નાયબ નિયામક પી.ડી.સરવૈયા,મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી એ.કે.રાઠોડ અને જિલ્લા કચેરી દ્વારા સૌને અભિનંદન પાઠવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ