નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.) 988 કરોડ રૂપિયાના કથિત બેંક લોન છેતરપિંડીના કેસમાં મની
લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ બુધવારે
દિલ્હી-એનસીઆર અને પંજાબમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે,” ઇડીએ પ્રિવેન્શન ઓફ
મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ), 2002 ના 988 કરોડ રૂપિયાના કથિત બેંક લોન છેતરપિંડી સંબંધિત કેસમાં
દિલ્હી-નેશનલ કેપિટલ રિજન (એનસીઆર) અને પંજાબમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે.”
આ કાર્યવાહી શિલ્પી કેબલ્સ ટેક્નોલોજીસ લિમિટેડ (એસસીટીએલ) કંપનીના
પ્રમોટર્સ અને કેટલીક સંકળાયેલી સંસ્થાઓ સામે કરવામાં આવી રહી છે. માહિતી અનુસાર, પ્રિવેન્શન ઓફ
મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ), 2002 હેઠળ દિલ્હી-એનસીઆરમાં નવ સ્થળો અને જલંધરમાં એક પરિસરમાં
આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે, આ મની લોન્ડરિંગ કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ
ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ની એફઆઈઆરમાંથી પ્રકાશમાં
આવ્યો છે, જેમાં SCTL ના પ્રમોટર્સ અને
અન્ય સહયોગીઓ પર આઈડીબીઆઈબેંકના નેતૃત્વ હેઠળના બેંકોના કન્સોર્ટિયમ સાથે 988 કરોડ રૂપિયાની
છેતરપિંડી કરવાનો આરોપ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ