નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અધ્યક્ષ
મલ્લિકાર્જુન ખડગેના નિવેદનનો વળતો પ્રહાર કર્યો છે.જેમાં તેમણે વડાપ્રધાન
નરેન્દ્ર મોદી વિશે કરેલી ટિપ્પણીને નિંદનીય ગણાવી છે.
બુધવારે ભાજપ મુખ્યાલયમાં આયોજિત, એક પત્રકાર પરિષદને
સંબોધતા, પાર્ટીના
રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે, આ એક કાળો દિવસ છે.
કટોકટી લાદવી એ ભારતીય લોકશાહી પર સીધો હુમલો હતો. કોંગ્રેસ પાર્ટી ગભરાઈ ગયેલી છે
અને વડાપ્રધાન મોદી પર, મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણી તે સમયગાળાના સંઘર્ષ વિશે
અજ્ઞાનતા દર્શાવે છે.
તેમણે કહ્યું કે,” ખડગે હોય કે જયરામ રમેશ, તેમને કટોકટી
દરમિયાન સહન કરવામાં આવેલી પીડા અને વેદનાનો કોઈ ખ્યાલ નથી. કોંગ્રેસના નેતાઓ
સામાન્ય ભારતીયોને, કેવા પ્રકારની વેદનામાંથી પસાર થવું પડ્યું તે જાણતા નથી. લગભગ
1.5 લાખ લોકોને,
રાતોરાત જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને કેબિનેટના નિર્ણય વિના, મધ્યરાત્રિએ
કટોકટી લાદવામાં આવી હતી.”
ઉલ્લેખનીય છે કે, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન
ખડગેએ કટોકટીની 5૦મી વર્ષગાંઠ પર એક પત્રકાર પરિષદમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર
નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે,” ભાજપ સરકારની નિષ્ફળતાઓ છુપાવવા
માટે 'સંવિધાન હત્યા
દિવસ' ઉજવવાનું નાટક
કરી રહી છે.”
તેમણે દાવો કર્યો હતો કે,” વડાપ્રધાન મોદીના કારણે, આજે
બંધારણ સંકટમાં છે.”
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ