ઇઝરાયલથી પરત ફરેલા પશ્ચિમ બંગાળના કમલે કહ્યું - 'ખાવાનું નહતુ ઊંઘ નહતી... દરેક ક્ષણે અમારા જીવનની ચિંતા રહેતી હતી'
કલકતા, નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.) પશ્ચિમ બંગાળના રહેવાસી કમલ વિશ્વાસ, મંગળવારે સાંજે ઈરાન-ઇઝરાયલ લશ્કરી સંઘર્ષ વચ્ચે સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા. તેમણે બુધવારે પોતાની ચોંકાવનારી વાર્તા શેર કરી. કમલ વિશ્વાસ, પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના બેતાઈ વિસ્તા
કમલ વિશ્વાસ


કલકતા, નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.) પશ્ચિમ બંગાળના રહેવાસી કમલ વિશ્વાસ, મંગળવારે સાંજે ઈરાન-ઇઝરાયલ લશ્કરી સંઘર્ષ વચ્ચે સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા. તેમણે બુધવારે પોતાની ચોંકાવનારી વાર્તા શેર કરી.

કમલ વિશ્વાસ, પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના બેતાઈ વિસ્તારના રહેવાસી છે અને છેલ્લા એક વર્ષથી ઇઝરાયલના તેલ અવીવમાં એક બાંધકામ સ્થળ પર કામ કરી રહ્યા હતા. મંગળવારે સાંજે બરાબર 6:12 વાગ્યે જ્યારે તેઓ એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ 2737 માં કલકતા એરપોર્ટ પર ઉતર્યા, ત્યારે રાહતની સાથે, ઇઝરાયલમાં ડરમાં વિતાવેલા ઘણા દિવસોની યાદો પણ તેમના ચહેરા પર તાજી હતી.

તેમણે કહ્યું, મને ખાવાનું મન થતું નહોતું, કે ઊંઘવાનું પણ મન થતું નહોતું. દરેક ક્ષણે મને લાગતું હતું કે, હું મારો જીવ ગુમાવીશ. હવે મને પૈસા નથી જોઈતા, મને ફક્ત જીવન અને મારો પરિવાર જોઈએ છે.

કમલે જણાવ્યું કે, ઇઝરાયલમાં રોકેટ અને મિસાઇલ હુમલા 9 જૂનથી શરૂ થયા હતા. તેમણે કહ્યું, રોજ મિસાઇલો પડી રહી હતી. અમે બંકરમાં પણ સુરક્ષિત અનુભવતા નહોતા. ઘણી વખત અમને અમારા મોબાઇલ પર ચેતવણી સંદેશા મળતા, પછી સાયરન વાગવા લાગતા અને અમને ખબર પડતી કે મિસાઇલ હુમલો થવાનો છે.

કમલના મતે, ભારત સરકાર અને ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસની ભૂમિકા ખૂબ જ પ્રશંસનીય હતી. તેમની મદદથી જ તે સુરક્ષિત રીતે ઘરે પરત ફરી શક્યો. તેમણે કહ્યું કે, તેમની સાથે પશ્ચિમ બંગાળના પાંચ-છ અન્ય લોકો પણ તે જ ફ્લાઇટમાં કોલકતા પાછા ફર્યા.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ ફરીથી કામ માટે ઇઝરાયલ જવા માંગે છે, ત્યારે કમલે કહ્યું, હું હમણાં આ વિશે કંઈ કહી શકતો નથી. કામની જરૂર છે પણ મારા મનમાં હજુ પણ ડર છે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande