કેન્દ્રીય ગૃહમંત્રી શાહ આજે બંધારણ હત્યા દિવસ પર, દિલ્હીમાં 'લોકતંત્ર અમર રહે યાત્રા' ને લીલી ઝંડી આપશે
નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.) દેશમાં કટોકટી લાદવાના 50 વર્ષ પૂર્ણ થવા પર આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે, ''સંવિધાન હત્યા દિવસ'' ઉજવવામાં આવશે. આ પ્રસંગે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ''લોક
શાહ


નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.) દેશમાં કટોકટી લાદવાના 50 વર્ષ પૂર્ણ થવા

પર આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે, 'સંવિધાન હત્યા

દિવસ' ઉજવવામાં આવશે. આ

પ્રસંગે, કેન્દ્રીય

ગૃહમંત્રી અમિત શાહ 'લોકતંત્ર અમર રહે

યાત્રા'ને લીલી ઝંડી

આપશે. આ કાર્યક્રમ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અને દિલ્હી સરકાર દ્વારા સંયુક્ત

રીતે આયોજિત કરવામાં આવી રહ્યો છે. કાર્યક્રમની પૂર્વસંધ્યાએ સંસ્કૃતિ મંત્રાલય

દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

આ યાત્રા બંધારણીય મૂલ્યો, લોકશાહી અધિકારો અને કટોકટીમાંથી શીખેલા પાઠ

વિશે જાગૃતિ ફેલાવવા માટે દેશભરમાં પ્રવાસ કરશે. અમિત શાહ આ કાર્યક્રમના મુખ્ય

મહેમાન બનશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, દિલ્હીના

લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા આ

કાર્યક્રમમાં ખાસ હાજર રહેશે. મંગળવારે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં

આવી હતી. આ દરમિયાન, સ્ટેડિયમમાં

ભારતીય લોકશાહી પર એક ખાસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા 25 જૂન 1975ના રોજ

મધ્યરાત્રિએ, ઓલ ઇન્ડિયા રેડિયો પર કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી. કટોકટી

ભારતના સ્વતંત્રતા પછીના ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંનો એક છે. આ સમયગાળા

દરમિયાન, નાગરિકોના મૂળભૂત

અધિકારો સ્થગિત કરવામાં આવ્યા હતા. પ્રેસ પર સેન્સરશીપ લાદવામાં આવી હતી. લોકશાહી

સંસ્થાઓનું ગળું દબાવવામાં આવ્યું હતું. ગયા વર્ષે, કેન્દ્ર સરકારે 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે સત્તાવાર રીતે

સૂચિત કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande