નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે
એક્સ હેન્ડલ પર 'સંવિધાન હત્યા
દિવસ' પર પોતાની ભાવનાઓ
વ્યક્ત કરી. તેમણે કહ્યું કે,” 'કટોકટી' કોંગ્રેસની સત્તા ભૂખનો 'અન્યાયી સમય' હતો. 25 જૂન, 1975 ના રોજ લાદવામાં આવેલી કટોકટી દરમિયાન દેશવાસીઓ જે પીડા
અને ત્રાસ સહન કરી રહ્યા હતા તેનાથી નવી પેઢીને વાકેફ કરવાના ઉદ્દેશ્યથી, મોદી સરકારે આ
દિવસને 'સંવિધાન હત્યા
દિવસ' નામ આપ્યું.”
તેમણે લખ્યું, ''આ દિવસ કહે છે કે, જ્યારે સત્તા સરમુખત્યારશાહી બની જાય છે, ત્યારે લોકો પાસે
તેને ઉથલાવી પાડવાની શક્તિ હોય છે. કટોકટી રાષ્ટ્રીય જરૂરિયાત નહોતી, પરંતુ કોંગ્રેસ
અને એક વ્યક્તિની લોકશાહી વિરોધી માનસિકતાનું પ્રતિબિંબ હતું. પ્રેસની સ્વતંત્રતા
કચડી નાખવામાં આવી હતી. ન્યાયતંત્રના હાથ બાંધી દેવામાં આવ્યા હતા અને સામાજિક
કાર્યકરોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.''
કેન્દ્રીય ગૃહમંત્રી શાહે લખ્યું, ''દેશવાસીઓએ 'સિંહાસન ખાલી કરો'નો નારો લગાવ્યો
અને સરમુખત્યાર કોંગ્રેસને ઉખેડી ફેંકી. આ સંઘર્ષમાં પોતાના જીવનું બલિદાન આપનારા
તમામ નાયકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.''
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી શાહે ગઈકાલે
'કટોકટીના 50 વર્ષ' કાર્યક્રમમાં ભાગ
લીધો હતો. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ''નવી દિલ્હીમાં કટોકટીની પૂર્વસંધ્યાએ, મને કટોકટીના 50 વર્ષ
કાર્યક્રમમાં, કટોકટી સામે લડનારા નાયકોનું સન્માન કરવાનો લહાવો મળ્યો.''
શાહે આ પ્રસંગે કહ્યું કે,” કટોકટી ત્યારે જ લાદવામાં આવે
છે જ્યારે વ્યક્તિની અંદર છુપાયેલ તાનાશાહી સ્વભાવ બહાર આવે છે, આપણી યુવા પેઢી
માટે આ ઇતિહાસ જાણવો મહત્વપૂર્ણ છે. કટોકટી એ કોંગ્રેસ દ્વારા બહુપક્ષીય લોકશાહીને
એકપક્ષીય સરમુખત્યારશાહીમાં, રૂપાંતરિત કરવાના કાવતરાની શરૂઆત હતી. કટોકટીનું
મુખ્ય કારણ સત્તાની ભૂખ હતી. દેશ માટે કોઈ બાહ્ય ખતરો નહોતો, ન તો કોઈ આંતરિક
કટોકટી હતી, ખતરો ફક્ત
ઇન્દિરા ગાંધીની ખુરશી પર હતો.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ