નૈનીતાલ, નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.)
કુમાઉ યુનિવર્સિટીના સુવર્ણ જયંતિ સમારોહમાં મુખ્ય મહેમાન રહેલા ઉપરાષ્ટ્રપતિ
જગદીપ ધનખડ, કાર્યક્રમ પછી અચાનક અસ્વસ્થ થઇ ગયા. સ્ટેજ પરથી નીચે ઉતર્યા પછી તેમની
તબિયત અચાનક ખરાબ થઇ ગઈ. જોકે, હાજર ડોક્ટરોની ટીમે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને
પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો,
ત્યારબાદ તેઓ
ઉત્તરાખંડના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (નિવૃત્ત) સાથે રાજભવન જવા રવાના
થયા.
નૈનીતાલમાં આયોજિત કાર્યક્રમમાં લગભગ 45 મિનિટના પોતાના
સંબોધન દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ ધનખડને,
ઘણી વાર નૈનીતાલના સાંસદ ડૉ. મહેન્દ્ર સિંહ પાલ યાદ આવ્યા, જે 1989માં સંસદમાં
તેમના સાથી હતા, અને કાર્યક્રમના
અંતે, તેઓ સ્ટેજ પરથી
નીચે ઉતર્યા અને ડૉ. પાલને ગળે લગાવ્યા અને તેમની સાથે લાંબા સમય સુધી વાત પણ કરી.
આ ભાવનાત્મક ક્ષણમાં ડૉ. પાલની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા અને ઉપરાષ્ટ્રપતિ
ધનખડ પણ તેમને ગળે લગાવીને રડી પડ્યા.
આ દરમિયાન, કાર્યક્રમ સ્થળમાંથી બહાર નીકળતી વખતે, ધનખડની તબિયત
અચાનક બગડી ગઈ અને તેઓ ડૉ. પાલને ગળે લગાવતા નીચે પડી ગયા. હાજર ડૉક્ટરોની ટીમે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી, ત્યારબાદ તેઓ
રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (નિવૃત્ત) સાથે રાજભવન જવા રવાના થયા. ડૉ.
પાલે કહ્યું કે,” કદાચ તેમનું બ્લડ પ્રેશર ઘટી ગયું હશે.”
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. નવીન ચંદ્ર જોશી / વિનોદ પોખરિયાલ
/ સત્યવાન
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ