સિદ્ધપુરમાં 230મી રથયાત્રાની ભવ્ય ઊજવણી સાથે સંપન્ન
પાટણ, 27 જૂન (હિ.સ.) : અષાઢી બીજના પવિત્ર દિવસે સિદ્ધપુરમાં ગામધણી ગોવિંદરાયજી માધવરાયજીની 230મી રથયાત્રા 82મી વખત ચાંદીના રથમાં ભવ્ય રીતે યોજાઈ. મંદિરમાંથી સાંજે રથયાત્રાની શરૂઆત રાધે ગોવિંદ અને હર હર મહાદેવના નાદ સાથે થઈ હતી. સવારે મંગલ આરતી, વિશેષ
સિદ્ધપુરમાં 230મી રથયાત્રા ભવ્ય ઊજવણી સાથે સંપન્ન


સિદ્ધપુરમાં 230મી રથયાત્રા ભવ્ય ઊજવણી સાથે સંપન્ન


સિદ્ધપુરમાં 230મી રથયાત્રા ભવ્ય ઊજવણી સાથે સંપન્ન


પાટણ, 27 જૂન (હિ.સ.) : અષાઢી બીજના પવિત્ર દિવસે સિદ્ધપુરમાં ગામધણી ગોવિંદરાયજી માધવરાયજીની 230મી રથયાત્રા 82મી વખત ચાંદીના રથમાં ભવ્ય રીતે યોજાઈ. મંદિરમાંથી સાંજે રથયાત્રાની શરૂઆત રાધે ગોવિંદ અને હર હર મહાદેવના નાદ સાથે થઈ હતી. સવારે મંગલ આરતી, વિશેષ અભિષેક અને રાજભોગમાં મગ, કેરી અને જામફળનો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.

યાત્રામાં ઊંટ-બળદગાડા ઉપર નગાશી ડંકો, ભજન મંડળીઓ, વેશભૂષાવાળા બાળકો, કરતબો, અને મહિલા મંડળો જોડાયા હતા. યાત્રા શહેરના મુખ્ય માર્ગો, નિશાળ ચકલા, પથ્થર પોળ, વેદવાડા, ધર્મ ચકલા થઈ સરસ્વતી નદી સુધી પહોંચી હતી. ત્યાં શ્રીજીના પાદુકાઓને જળાભિષેક કરીને યાત્રા મંદિરે પરત ફરી હતી.

યાત્રા દરમિયાન નગરજનો દ્વારા ઠેરઠેર પુષ્પવૃષ્ટિ, આરતી અને પ્રસાદ વિતરણથી યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું. છુવાળાફળી વિસ્તારમાં મુસ્લિમ અને વ્હોરા સમાજ દ્વારા ઠંડા પાણીની સેવા આપી કોમી એકતાનું દ્રષ્ટાંત પુરું પાડ્યું. સિદ્ધનાથ પરિવાર દ્વારા મગ-માલપુવો અને પથ્થર પોળ ખાતે લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું.

આ ઉજવણીમાં ઔદિચ્ય બ્રાહ્મણ સમાજના યુવાનો અને બાળકો પીતાંબર પહેરી રથ ખેંચતા જોઈ શકાયા. તેમની પર નગરજનો દ્વારા પાણી છાંટતાં અનોખું દ્રશ્ય સર્જાયું. રથયાત્રામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પૂર્વ સાંસદો અને ધારાસભ્યો સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા. પોલીસ બંદોબસ્ત વચ્ચે યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande