પોરબંદર, 27 જૂન (હિ.સ.) : પોરબંદરની રામ-બા બી.એડ્ કોલેજ ખાતે નશાબંધી અને આબકારી ખાતુ ગૃહ વિભાગ, ગુજરાત સરકારની સુચના તેમજ જીલ્લા કલેક્ટર અને એસ.પી પોરબંદરના માર્ગદર્શન હેઠળ અધિક્ષક નશાબંધી અને આબકારી ખાતુ અને રામ-બા બી.એડ્ કોલેજ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ડ્રગ્સનો ગેરકાદેસર ઉપયોગ તથા હેરફેર વિરોધી આંતરાષ્ટ્રીય દિવસ ઉજવણી બી.એના વિધાર્થીઓએ ચિત્રસ્પર્ધા અને વકૃત્વસ્પર્ધા અને મહાનુભાવોનું પ્રવચન તેમજ ઇનામ વિતરણનો કાર્યક્રમ થકી ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમની શરૂઆત સર્વ ધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી,ત્યારબાદ પ્રાસંગોચિત ઉદ્દબોધન કોલેજના આચાર્ય ડો.એ.વાય રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડો.યુ.ડી મહેતાએ ઉપસ્થિત મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. અને નશાબંધી ખાતાને આ કાર્યક્રમને આવકાર્યો હતો. ત્યારબાદ વિધાર્થીઓએ ડ્રગ્સનો ગેરકાદેસર ઉપયોગ તથા હેરફેર વિરોધી આંતરાષ્ટ્રીય દિવસ ઉજવણી બાબતે વકૃત્વસ્પર્ધા અને ચિત્રસ્પર્ધા દ્રારા પોતાના વિચારો રજુ કર્યા હતા. જેમાં વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર ઓડેદરા ધારાબેન, બીજો નંબર વરૂ મિલનભાઈ, ત્રીજો નંબર શમા સુજાનબેન તેમજ ચિત્રસ્પર્ધામાં કુછડીયા હિલબેન પ્રથમ નંબરે, ગઢિયા મિતલબેન દ્વિતીય નંબરે તથા મકવાણા વર્ષાબેન તૃતીય નંબરે વિજેતા થયા હતા.
આ તકે નશાબંધી અધિક્ષક પી.આર ગોહિલે જણાવ્યુ કે, તાલીમાર્થી વિધાર્થીઓએ રજુ કરેલ વિચારો દ્વારા ઘણી બાબતો ગંભીરતાથી રજુ કરી જે બાબતે વિસ્તૃત ચર્ચા કરી અને જણાવ્યુ કે, અહી 40/45 તાલીમાર્થી વિધાર્થીઓન નથી પરન્તુ 40/45 ગામમાં એક સાથે ભવિષ્યમાં સંદેશો પહોંચ છે. અને અસર કારક પરિણામો મળશે એવી આશા રાખી આ બી.એડ્ કોલેજમાં કાર્યક્રમો કરીએ છીએ. અને પી.પી.ટી નિદર્શન દ્વારા લોકોમાં વ્યશન કેવી રીતે પ્રવેશ કરે અને તેમની કેવી રીતે ગંભીર શારીરીક અને આર્થિક અસરો કરે જે વિસ્તૃત માહીતી આપી, હાલ પણ કોઇ પણ વિધાર્થીઓને ખરાબ વ્યશન હોય તો તે વ્યશન છોડવા માટે વ્યશનમુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી અને પરિવાર તથા સમાજના દશ વ્યક્તિને વ્યશન છોડવવા માટે પ્રયત્ન કરવા જણાવ્યુ. નશાબંધી વિષયક સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને ઈનામો તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ ત્યારબાદ ડો.રામચંદ્ર મહેતાએ આભાર વધી રજુ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ.
નશાબંધી પ્રસાર-પ્રચાર કાર્યક્રમમાં પી.આર ગોહિલ- અધીક્ષક નશાબંધી ખાતું પોરબંદર, તથા ડો.એ.વાય રાઠોડ- પ્રિન્સીપાલ, તેમજ ડો.યુ.ડી મહેતા, ડો.એમ.વી વેકરીયા તેમજ ડો.રામચંદ્ર મહેતા, ડૉ. કશ્યપ જોષીસર, ડૉ.નરેન્દ્રસિંહ ડોડીયા તેમજ નશાબંધી સર્વસ્ટાફગત ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya