પોરબંદર, 27 જૂન (હિ.સ.)પોરબંદરમા અષાઢી બીજની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવી હતી બારગામ સમસ્ત ખારવા જ્ઞાતિ દ્રારા અષાઢી બીજાન દિવસે ખારવા સમાજની સંસ્કૃતિને ઉજાગર કરવાની સાથે ઈષ્ટદેવ શ્રીરામદવેજી મહાપ્રભુજીની શોભાયાત્રાનુ ભવ્ય અને દિવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ ખારવા પંચયાત મઢી ખાતેથી શોભયાત્રાનો પ્રારંભ થયો હતો રામદેવજી મહાપ્રભુના મંદિરે દર્શન કર્યા બાદ નવનિયુકત વાણોટ પવનભાઈ શિયાળ ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી તેમજ પંચ-પટેલો, ટ્રસ્ટીઓ શોભાયાત્રામાં જોડયા હતા શ્રી રામદેવજી મહાપ્રભુની પાલખી સાથેની શોભાયાત્રામાં ઓપરેશન સિંદુરના રાફેલ સાથેના વિવિધ આકર્ષક ફલોટ તેમજ ઢોલ શરણાઈ સાથે ભકિતગીતોની સાથે રાસની રમઝટ બોલી હતી શીતલા ચોકથી, માણેકચોક, બંદર રોડ સહિતના વિસ્તારમાં શોભાયાત્રા ફરી હતી રાજકીય પક્ષોના આગેવાનો, વિવિધ સમાજ તેમજ સંસ્થાના આગેવાનો દ્રારા શોભાયાત્રાની સાથે નવનિયુકત વાણોટનુ સ્વાગત અને અભિવાદન કરવામા આવ્યુ હતુ શોભાયાત્રામા મોટી સંખ્યામા લોકો જોડાયા હતા અને જય રામપીરના નાદથી વાતવારણ ગુંજી ઉઠયુ હતુ શોભાયાત્રા દરમ્યાન લોકોને શ્રી રામદેવજી મહાપ્રભુનુ દર્શન કરી ધન્યતા અનુભવી હતી શહેરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા ફરી અને રામદેવજીના મંદિર ખાતે સંપન્ન થઈ હતી ત્યાં મહાઆરતી કરવામા આવી હતી તેમજ શ્રધ્ધાળુઓ માટે શિયાળ પરિવાર દ્રારા પ્રસાદીનુ આયોજન કરવામા આવ્યુ હતુ ખારવા સમાજ દ્રારા આજે ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવી હતી.
*રાજપુત સમાજની અનોખી પરંપરા*
પોરબંદરમા ખારવા સમાજ દ્રારા આયોજીત શોભાયાત્રા પૂર્વે પોરબંદર રાજપુત સમાજ દ્રારા રાજાશાહી વખતની પરંપરા મુજબ ખારવા સમાજના નવનિયુકત વાણોટ પવનભાઇ શિયાળને ચુંદડી, શ્રીફળ અને તલવાર અર્પણ કરવામાં આવી હતી તેમજ વાણોટને સાફો પહેરવામા આવ્યો હતો આ પ્રસંગે રાજપુત સમાજના પ્રમુખ રાજભા જેઠવા તેમજ ધર્મેન્દ્રસિંહ જેઠવા, રાજદીપસિંહ જેઠવા, સુધીરસિંહ જેઠવા, ચંદ્રસિંહ જેઠવા, અનિરૂધ્ધસિંહ જાડેજા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya