યાત્રાધામ અંબાજીમાં ગારમેન્ટ અને સીવણની કામ કરતી દુકાનમાં આગ લાગી, મોટાભાગે ગારમેન્ટ નો માલ ખાખ, બંધ દુકાનમાં લાગી હતી આગ
અંબાજી,27જુન (હિ. સ)યાત્રાધામ અંબાજી ખાતે આજે બપોર બાદ અંબાજી ગ્રામ પંચાયતના શોપિંગ સેન્ટરમાં એક દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટનાએ ભારે આફરાતા આફરીનો માલ સર્જાયો હતો. જોકે આ દુકાન બંધ હતી અને સટરના ઉપરના ભાગથી ધુમાડા નીકળ
AMBAJI MA EK DUKAN MA AAG BHADKI


AMBAJI MA EK DUKAN MA AAG BHADKI૨


AMBAJI MA EK DUKAN MA AAG BHADKI૧


AMBAJI MA EK DUKAN MA AAG BHADKI


અંબાજી,27જુન

(હિ. સ)યાત્રાધામ અંબાજી ખાતે આજે બપોર બાદ અંબાજી ગ્રામ પંચાયતના શોપિંગ

સેન્ટરમાં એક દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટનાએ ભારે આફરાતા આફરીનો માલ સર્જાયો

હતો. જોકે આ દુકાન બંધ હતી અને સટરના ઉપરના ભાગથી ધુમાડા નીકળતા હોવાથી આજુબાજુના

વેપારીઓએ પોલીસને તેમજ ફાયર ફાઈટરને જાણ કરી બોલાવવા હતા અને જ્યાં ધુમાડા નીકળતા

હતા ત્યાં તાત્કાલિક એ જીઈબીના કર્મચારીઓને પણ બોલાવી વીજ પુરવઠો બંધ કરાયો હતો

અને જ્યારે બંધ દુકાનનો શટર ખોલતા દુકાનમાં ભારે આગ જોવા મળી હતી અને ભારે આગના

ગોટેગોટા બહાર નીકળતા જોવા મળ્યા હતા જોકે આ દુકાન જે છે જેના અંદર ગારમેન્ટસનો

માલ રેડીમેન્ટ કમળાનો સામાન તેમજ શિવની કામગીરી થતી હતી દુકાનમાં અને આજે દુકાન

ચલાવનાર હતા તે પોતાના ખેતરમાં મકાઈનું વાવેતર કરવા માટે ગયેલા હતા ત્યારે દુકાન

બંધ હતી પણ જ્યારે આગ લાગવાની ઘટનાના સમાચાર મળતા તાકીદે ઘટના સ્થળે દોડી આવ્યા

હતા.

જોકે આ દુકાન ચલાવનાર કુંભારિયાના એક આદિવાસી મહિલા સાવલી બાઈ કરીને હતા તે

દુકાન ચલાવતા હતા તેને દુકાનમાં તમામ જે બળીને ખાક થઈ ગયો છે. જોકે આ સમગ્ર ઘટના

દુકાન બંધ હોવાથી અન્ય કોઈપણ જાતની જાનહાનિના સમાચાર નથી. પણ જો કે સમયસર મંદિર

ટ્રસ્ટનું ફાયર ફાઈટર પહોંચતા આ આગને કાબૂમાં લીધી હતી અને જેથી કરીને આજુબાજુની

દુકાનોમાં આગ પ્રસરતે બચી હતી જો કે સમગ્ર ઘટનામાં કોઈપણ જાતની જાન હાની ના સમાચાર

નથી અને દુકાન માલિકે જણાવ્યું હતું કે, મારા કેટલાક દાગીના આ દુકાનના અંદર જ હતા

અને રોકડ રકમ અને દસ્તાવેજ એ કાગળો પણ હતા પણ જો કે શોધખોળ કરતા દુકાનદાર આદિવાસી

મહિલાના ચાંદીના કેટલાક દાગીના મળી આવ્યા હતા. જ્યારે દસ્તાવેજે કાગડો કમ

કોઈપણ જાતને મળી આવેલ નથી. જે બાબતે બળી ગયા હોવાને હાલ તબક્કે શંકા સેવાઈ રહે

છેઅને સિલાઈના બે સંચા પણબળી ગયા છે અને હજી અંબાજી પોલીસ પણ આ સમગ્ર

બાબતે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી કરી છે.

આ ગારમેન્ટની દુકાનમાં

રેડીમેન્ટ કપડાં પણ વેચાતા હતા અને સીવણ નું પણ કામ મહિલાઓ દ્વારા કરાતું હતું, જે આ આગની ઘટના બનતા દુકાનદાર ભારે આઘાત

માંસરી ગયેલા જોવા મળ્યા હતાઅને મારે દુઃખની ઘટના બની હતી ને જાણે પહાડ

પડ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી.

જોકે આ ઘટનાના સમાચાર અંબાજીના

નવનિયુક્ત સરપંચ કલ્પનાબેન દવેને મળતા, તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

જ્યારે દુકાનદાર મહિલા હોવાથી તેને આશ્વાસન પણ આપ્યું હતું તેમ જ કેટલીક રોકડ રકમ

પણ આપી મદદરૂપ બન્યા હતા અને ઘટતી કાર્યવાહી

થશે તેવું આશ્વાસન આપ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande