પોરબંદર, 27 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ–2025 અંતગર્ત પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ રાતડી પે સેન્ટર શાળા, રાતડી ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ તકે ધારાસભ્યએ જણાવ્યું કે શિક્ષણએ દેશ અને સમાજ માટે નવું કરવાની પ્રેરણા આપે છે. સરકારે લોકોને શિક્ષણ માટે દૂર જવું પડે નહીં અને નજીકમાં સારા ઇન્ફાસ્ટ્રક્ચર સાથે શિક્ષણ મળી રહે તે માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.
આ વખતે બજેટમાં પણ સરકારે શિક્ષણ માટે 60 હજાર કરોડની ફાળવણી કરીને વધુ સારી શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે દિશામાં કાર્ય કરાઈ રહ્યું છે.વધુમાં તેમણે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને વ્યસન મૂકતી માટેની સમજ આપતાં જણાવ્યું કે પર્યાવરણનું રક્ષણ કરવું આપણા બધાની ફરજ છે અને બાળકો અને વાલીઓને વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરી હતી. અને બાળકો અને વાલીઓ સહિતનાઓએ પર્યાવરણનું રક્ષણ કરવાનો સંકલ્પ લીધો હતો.ઉલ્લેખનીય છે કે રાતડી પે સેન્ટર શાળા ખાતેથી 29 બાળકો બાળવાટિકામાં,ધોરણ 1 માં 21 બાળકો અને આંગણવાડીમાં 2 બાળકોને પ્રવેશ કરાવ્યો હતો તેમજ બાળકોને કીટ આપવામાં આવી હતી.અને પરીક્ષાઓમાં ઉત્કૃષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ તકે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા,સીઆરસી સર્વ ચાર્મી જોષી, કિશોરગર મેઘનાથી અને આચાર્ય અરભમ ઓડેદરા અગ્રણી સર્વ પ્રતાપભાઈ કેશવાલા, રામભાઈ, ભાસ્કરભાઈ અને એસએમસી સભ્યઓ સહિતના શિક્ષકો અને વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya