પોરબંદર, 27 જૂન (હિ.સ.) : અષાઢી બીજના પવિત્ર દિવસ નિમિતે સમગ્ર ભારતમાં તમામ રાજ્યોમાં આવેલા જગન્નાથજીના વિવિધ મંદિરેથી રથયાત્રા યોજાઈ રહી છે. ત્યારે સુદામાપુરી પોરબંદરમાં સુદામાજીના મંદિર પાસે આવેલા 500 વર્ષથી પણ વધુ જુના ભગવાન જગન્નાથજીના મંદિરે આજે અષાઢી બીજના પવિત્ર દિવસ નિમિતે પૌરાણિક રથમાં ભગવાન જગન્નાથને બિરાજમાન કરી ભાવિકો માટે દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. 500 વર્ષ જુના ભગવાન જગન્નાથના આ મંદિરે બે પૌરાણિક રથ આવેલા છે જેમાં એક રથ 155 વર્ષ જૂનો અને બીજો 106 વર્ષ જૂનો છે. આજે અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથજીને 106 વર્ષ જુના પૌરાણિક રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા અને ભાવિકો માટે દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. કોઈ કારણોસર ભગવાન જગન્નાથજીની નગરયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ ભાવિકોએ નિજ મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya