પાટણ, 27 જૂન (હિ.સ.)પાટણ શહેરમાં શુક્રવારે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા નિકળી હતી. ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. શહેરના મુખ્ય રાજમાર્ગો પર આ રથયાત્રા ધાર્મિક અને ભક્તિમય માહોલ વચ્ચે યોજાઈ હતી.
રથયાત્રામાં 100થી વધુ ઝાંખીઓ સામેલ રહી હતી, જેણે ભક્તોનું વિશેષ ધ્યાન આકર્ષિત કર્યું હતું. હૈયે હૈયું દળાય તેવું માનવમહેરામણ ઉમટ્યું હતું અને સમગ્ર યાત્રા દરમિયાન ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લાખો ભક્તોએ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. આ ભવ્ય માહોલને ડ્રોન કેમેરાની સહાયથી કેદ કરવામા આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર