પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
પોરબંદર, 27 જૂન (હિ.સ.) : સમાજના સર્વાંગી વિકાસ માટેનો શિક્ષણ અનિવાર્ય છે ત્યારે રાજ્ય સરકારના માર્ગદર્શન પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ–2025 ની આજથી ઉમંગભેર ઉજવણી પ્રારંભ કરવામાં આવ્યો છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢ
પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ.


પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ.


પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ.


પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ.


પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ.


પોરબંદર, 27 જૂન (હિ.સ.) : સમાજના સર્વાંગી વિકાસ માટેનો શિક્ષણ અનિવાર્ય છે ત્યારે રાજ્ય સરકારના માર્ગદર્શન પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ–2025 ની આજથી ઉમંગભેર ઉજવણી પ્રારંભ કરવામાં આવ્યો છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ કુછડી પે સેન્ટર શાળા, કુછડી ખાતે બાળવાટિકામાં અને ધોરણ 1 માં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.

ધારાસભ્યએ જણાવ્યું કે બાળક જ્યારે શાળામાં પ્રવેશ કરે છે ત્યારે તે જીવનનું એક પગથીયું આગળ વધે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શાળા પ્રવેશોત્સવ ની શરૂઆત કરવામાં આવી હતી. અત્યારે સરકારી શાળાઓમાં સારા ઈન્ફાસ્ટ્રક્ચર અને શિક્ષણની સારી સુવિધાઓ ઉપલબ્ધ છે અને બાળકોને ગુણવતાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે તેથી વાલીઓએ બાળકોને સરકારી શાળામાં ભણાવવા અપીલ કરી હતી. શિક્ષકોને પણ બાળકો સારામાં સારું શિક્ષણ મેળવે તે માટે કેળવણી ભાર મુક્યો હતો.

વધુમાં તેઓએ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા કેળવાય અને વ્યસનમુક્ત અને સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય તે માટે બાળકોને માહિતી આપતાં બાળકો અને વાલીઓને વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી.ઉલ્લેખનીય છે કે કુછડી પે સેન્ટર શાળા ખાતેથી 18 આંગણવાડી,37 બાળવાટિકામાં અને ધો.1માં 48 બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો અને બાળકોને કીટ આપવામાં આવી હતી. અને શિક્ષણ અને મહિલાલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી અને પરીક્ષાઓમાં ઉત્કૃષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સાથે બેઠક કરી હતી અને શિક્ષણને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.આ તકે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અરજણભાઇ કુછડીયા, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, સરપંચ નાગાભાઈ કુછડીયા એસએમસી અધ્યક્ષ પરબતભાઈ, સીઆરસી સર્વ ચાર્મી જોષી, કે.જે મેઘનાથી અને આચાર્ય દીપેનભાઈ ત્રિવેદી અગ્રણી ભાસ્કરભાઈ સહિતના શિક્ષકો અને વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande