ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિસાવાડા ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો
પોરબંદર, 27 જૂન (હિ.સ.) : રાજ્યમાં કોઈ બાળક શિક્ષણથી વંચિતના રહે તે દિશામાં સરકાર પ્રયત્નો કરી રહી છે. પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ–2025 અંતગર્ત પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ વિસાવાડા ખાતે બાળકોને શાળામાં પ્રવેશ
ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિસાવાડા ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો.


ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિસાવાડા ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો.


ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિસાવાડા ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો.


ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિસાવાડા ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો.


ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિસાવાડા ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો.


પોરબંદર, 27 જૂન (હિ.સ.) : રાજ્યમાં કોઈ બાળક શિક્ષણથી વંચિતના રહે તે દિશામાં સરકાર પ્રયત્નો કરી રહી છે. પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ–2025 અંતગર્ત પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ વિસાવાડા ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યએ શિક્ષણ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તનની વિશેની જાણકારી આપી હતી અને સરકારી શાળાઓમાં બાળકોને શિક્ષણ અપાવવા માટે વાલીઓને અપીલ કરી હતી.

વધુમાં ધારાસભ્યએ બાળકોને વ્યસનમુક્ત રહેવા તેમજ પ્લાસ્ટિકને કારણે થતા પદૂષણ અંગેની વાત કરતા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને પર્યાવરણ સંરક્ષણ કરવા માટેની સમજ આપી હતી. અને શાળામાં પ્રવેશ કરેલા તમામ બાળકોને એક વૃક્ષ પોતાના નામે વાવવા માટેની અપીલ કરી હતી.ઉલ્લેખનીય છે કે ઉલ્લેખનીય છે કે વિસાવાડા ખાતેથી બાળવાટિકામાં 24 બાળકો, આંગણવાડીમાં 11 બાળકો, ધોરણ 1માં 26 બાળકો, ધોરણ- 9માં 103 છાત્રો ,ધોરણ -11માં 75છાત્રો પ્રવેશ કરાવ્યો હતો તેમજ બાળકોને કીટ આપવામાં આવી હતી. અને પરીક્ષાઓમાં ઉત્કૃષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. અને મહાનુભવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, સરપંચ ભોલાભાઈ કેશવાલા ,સીઆરસી સર્વ ચાર્મી જોષી, કિશોરગર મેઘનાથી અને આચાર્ય, અગ્રણી સર્વ પ્રતાપભાઈ કેશવાલા, ભાસ્કરભાઈ, માલદેભાઈ કેશવાલા, ભીમભાઈ કેશવાલા તેમજ એસએમસી સભ્યઓ સહિતના શિક્ષકો અને વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande