સુરત, 27 જૂન (હિ.સ.)-આજરોજ અષાઢી બીજનાં પાવન અવસર પર ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભારે હર્ષોલ્લાસ સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સુરત રેલવે સ્ટેશન ખાતે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના કાર્યકારી પ્રમુખ અનિલભાઈ બિસ્કીટવાલા, પૂર્વ કોર્પોરેટર દિગ્વિજયસિંહ બારડ, શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય મેહુલભાઈ ઠાકર, પૂર્વ વોર્ડ પ્રમુખ જીતેશભાઈ મહેતા, પોલીસ કમિશનર , સુરત મહાનગરપાલિકાના કમિશનર , કલેકટર સુરત શહેરના મેયર સહિતના મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીને પુષ્પો અર્પણ કરી આરતી કરવામાં આવી હતી અને ભગવાનના દર્શન કરી જગતના જન કલ્યાણ માટે પ્રાથના કરી ધન્યતા અનુભવી હતી.
આજના આ પાવન અવસરે, ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરવાનું પરમસૌભાગ્ય પ્રાપ્ત થયું.
ઇસ્કોન મંદિરના આયોજકોનો ખૂબ ખૂબ આભાર માન્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે