ગાંધીનગરની ધોળાકુવા, સેકટર-3 અને 6ની શાળાઓમાં, ભૂલકાઓને વિદ્યારંભ કરાવતા મંત્રી ભાનુબેન બાબરીયા
ગાંધીનગર, 27 જૂન (હિ.સ.) : સમગ્ર ગુજરાતમાં ત્રિદિવસીય શાળાપ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. આજે બીજા દિવસે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગરની ધોળાકુવા, સેકટર-3 અને 6ની પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓનો વ
મંત્રી ભાનુબેન બાબરીયા


મંત્રી ભાનુબેન બાબરીયા


મંત્રી ભાનુબેન બાબરીયા


ગાંધીનગર, 27 જૂન (હિ.સ.) : સમગ્ર ગુજરાતમાં ત્રિદિવસીય શાળાપ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. આજે બીજા દિવસે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગરની ધોળાકુવા, સેકટર-3 અને 6ની પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓનો વિદ્યારંભ કરાવ્યો હતો.

ધોળાકુવા પ્રાથમિક શાળામાં ભૂલકાઓએ સાંસ્કૃતિક નૃત્ય અને ગાયન સાથે મંત્રીનું સ્વાગત કર્યું હતું. મંત્રીએ બાળવાટિકામાં પ્રવેશતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ ભેટ સ્વરૂપે આપી હતી અને જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ને “સમાજોત્સવ” બનાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩માં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે ગામડે ગામડે જઈને તેઓએ બાળકોના શિક્ષણ અને ભવિષ્યની ચિંતા કરી શાળામાં ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવાતા હતા. મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ વાલીઓને ભારપૂર્વક સૂચન કરતા દીકરીઓનું ભણતર ન અટકાવવા વિનંતી કરી હતી. તેમજ શાળાના શિક્ષકો અને વાલીઓ સાથે પણ બેઠક કરી શાળાની વિવિધ પ્રવૃતિઓ અને શિક્ષણ વિશે માહિતી મેળવી હતી.

ત્યારબાદ મંત્રી સેક્ટર-૩ અને ૬ ખાતેની સાર્વજનિક પ્રાથમિક શાળાએ પહોચ્યા હતા. ભૂલકાઓને સંબોધતા મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શાળામાં પડેલી નાની પાપા પગલી ભવિષ્યમાં ગુજરાતને વધુ હરણફાળ પ્રગતિમાં ભાગીદાર બનાવવા મદદરૂપ નીવડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભણતરને ઉત્સવની જેમ ઊજવવાથી ભૂલકાઓના શિક્ષણના ચોક્કસ પાયા સ્થપાશે અને દેશ વિકસિત બનશે.

શાળા પ્રવેશોત્સવના ભાગરૂપે શાળાઓમાં માર્ગ સલામતી અને વ્યસન મુક્ત ભારતના શપથ પણ લેવામાં આવ્યા હતા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત શાળાના પટાંગણમાં લીંબડાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૨૭મી જૂનના રોજ આ ત્રણેય શાળાઓમાં આંગણવાડીઓના ૮૩, બાલવાટિકાના ૧૦૨ તેમજ ધોરણ-૧ ના કુલ ૧૫૭ ભુલકાઓ સહિત કુલ ૩૪૨ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી પ્રવેશોત્સવના બીજા દિવસને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લાના અધિકારીઓ, જન પ્રતિનિધિઓ, શાળાના આચાર્ય-શિક્ષકગણ, આંગણવાડી કાર્યકરો, કોર્પોરેટરઓ સહિત શાળાના વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande