વલસાડ, 27 જૂન (હિ.સ.)- રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન અંતર્ગત વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઝરોલી ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
ઉમરગામ તાલુકામાં સમૃધ્ધ પ્રાકૃતિક ખેતી કરતા અને જંગલ મોડલ ફાર્મ ધરાવતા પ્રગતિશીલ ખેડૂત હસમુખભાઈ પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાથી ખર્ચ ઘટવાના ફાયદા તથા માનવ જીવનમાં તંદુરસ્ત રહેવાના ફાયદા સમજાવ્યા હતા. પોતાને ત્યાં તૈયાર કરવામાં આવેલું જીવામૃત તથા ઘનજીવામૃત હાજર સ્ટોકમાં ખેડૂતોને મળી રહેશે એમ જણાવ્યું હતું. આ સિવાય પાક સુરક્ષા વધારવા જીવાતને નિયંત્રણમાં લાવવુ જરૂરી છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેમણે પ્રાકૃતિકના પાંચ વ્યાયામોની પણ વિસ્તૃત માહિતી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે